Surat : ગોવિંદા આલા રે, આ વર્ષે મહોલ્લામાં બાધાની મટકી ફોડવા મળશે પરવાનગી

આ વર્ષે જન્માષ્ટમીમાં દહીહાંડી કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. જોકે ભાગળ ચાર રસ્તા પર મુખ્ય મટકી ફોડનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

Surat : ગોવિંદા આલા રે, આ વર્ષે મહોલ્લામાં બાધાની મટકી ફોડવા મળશે પરવાનગી
Surat - Dahihandi Program
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 2:02 PM

કોરોનાના કેસો ઘટી ગયા પછી શહેરોની રંગત પાછી ફરી છે. જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. શ્રાવણ મહિનામાં તહેવારોની વણઝાર શરૂ થઇ ગઈ છે. ત્યારે આ વખતે જન્માષ્ટમીમાં મટકી ફોડવાની પરવાનગી મળતા ગોવિંદા મંડળોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જોકે આ પરવાનગી પણ કેટલીક શરતોને આધીન આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી જન્માષ્ટમીમાં ગોવિંદા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 125 કરતા પણ વધુ ગોવિંદા મંડળ સુરતમાં આવેલા છે અને શહેરભરમા 5 હજાર કરતા વધુ નાની મોટી માટલીઓ ફોડવામાં આવે છે. જેમાં મુખ્ય મટકી ફોડનો કાર્યક્રમ ભાગળ ચાર રસ્તા પર રાખવામાં આવે છે. જેમાં મહિલા ગોવિંદા મંડળ પણ ભાગ લે છે. પરંતુ કોરોનાના કારણે ગત વર્ષે આ તહેવાર ઉજવાઈ શક્યો ન હતો.

આ વર્ષે કોરોનાના કેસો કાબુમાં આવતા ધીમે ધીમે હવે જનજીવન પાટે ચડી રહ્યું છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે સુરતમાં આ વખતે જન્માષ્ટમીમાં દહીહાંડીના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમાં પણ કેટલીક શરતોનું પાલન ગોવિંદા મંડળોએ કરવાનું રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1). ઝોન પ્રમાણે ઝોન એરિયામાં જ મટકી ફોડી શકાશે. 2). શક્ય હશે ત્યાં સુધી ગોવિંદા મંડળના ઓછામાં ઓછા સભ્યોએ ભાગ લેવાનો રહેશે. 3). કોરોનાની ગાઇડલાઇન ધ્યાનમાં રાખીને ફક્ત બાધાની માટલી જ ફોડવામાં આવશે.

ભાગળ પર મુખ્ય મટકી ફોડનો કાર્યક્રમ કેન્સલ

દર વર્ષે ભાગળ પર રંગેચંગે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સૌથી મોટો કાર્યક્રમ ભાગળ વિસ્તારમાં ચાર રસ્તા પર રાખવામાં આવે છે. જોકે આ વર્ષે મુખ્ય મટકીફોડનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે. હવે ફક્ત શેરીઓ અને મહોલ્લામાં બાધાની માટલીઓ જ ફોડવામાં આવશે. જોકે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે મહોલ્લામાં એકથી વધુ મટકીઓની સંખ્યા રાખવામાં ન આવે.

સુખાનંદ વ્યાયામ શાળા જે સૌથી જૂનું ગોવિંદા મંડળ છે તેમના સભ્યો દ્વારા પણ આ જન્માષ્ટમીની તૈયારી શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 31 ઓગસ્ટ મંગળવારના રોજ ઘી હાંડીનો કાર્યક્રમ ઉજવાશે. જોકે આ મંડળ દ્વારા પણ અઠવા ઝોન વિસ્તારમાં જ મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવશે.

આ પણ વાંચો :

Surat : VNSGU ના 76.35 ટકા ડિગ્રી ધારકો “કંઈ નથી કરતા”, ગયા વર્ષ કરતા 9.5 ટકાનો વધારો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">