Surat : ભેસ્તાનમાંથી પકડાયેલા સરકારી અનાજના જથ્થા માટે અહેવાલ મંગાવાયો, અનાજ મધ્યાહન ભોજન અંતર્ગતનો કે પુરવઠા વિભાગનો તેની તપાસ શરૂ

ગરીબોના અનાજનો કોળિયો છીનવવાની જેણે પણ કોશિશ કરી છે. તેમની સામે કડકાઈથી પગલાં લેવાવા જોઈએ. જયારે બીજી તરફ મનપાના પદાધિકારીઓ દ્વારા આ મામલે જે પણ કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. 

Surat : ભેસ્તાનમાંથી પકડાયેલા સરકારી અનાજના જથ્થા માટે અહેવાલ મંગાવાયો, અનાજ મધ્યાહન ભોજન અંતર્ગતનો કે પુરવઠા વિભાગનો તેની તપાસ શરૂ
Illegal food grains caught in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 10:15 AM

ભેસ્તાનના (Bhestan )મનપાના શોપીંગ સેન્ટરમાંથી સરકારી અનાજનો(Food Grains ) ઝડપાયેલો જથ્થો ઝડપાયા બાદ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ (DSO) તપાસ આરંભી છે અને સુરત મનપા પાસે ઝડપાયેલા જથ્થાની વિગતો માગી આજે સુરતના પુરવઠા ઝોનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી . વધુમાં મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન ખાતે સ્થિત સુરત મનપાના શોપીંગ સેન્ટરની બંધ દુકાનમાંથી મનપાના અધિકારીઓની તપાસ અંતર્ગત સરકારી અનાજ ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલું મળી આવ્યું હતું . આ અનાજમાં ઘઉં , ચોખા તથા ખાંડનો જથ્થો છે . મનપા તંત્ર તરફથી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે .

મનપાના શોપીંગ સેન્ટરમાંથી ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો ઝડપાયા બાદ આજે જિલ્લા પુરવઠા અધિકારી એ એન . હળપતિ દ્વારા સુરત શહેરમાં આવેલી તમામ પુરવઠા ઝોન ઓફિસના નાયબ પુરવઠા અધિકારી સાથે સંયુક્ત બેઠક યોજી હતી . જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને સરકારી અનાજના જથ્થામાં ગેરરીરિત ન આચરાય તેની તાકીદ રાખવાની કડક સુચના આપી હતી.

વધુમાં વિગતો મુજબ મનપાના જે શોપીંગ સેન્ટરમાંથી સરકારી અનાજનો જે જથ્થો ઝડપાયો છે તેનો વિસ્તૃત અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીએ સુરત મહાનગરપાલિકા પાસે મંગાવ્યો છે . જથ્થાની વિગત આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકશે કે , કયા દુકાનદાર દ્વારા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે મનપાના શોપીંગ સેન્ટરમાં સગ્રહ કરવામાં આવ્યો હતો .

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઝડપાયેલો સરકારી અનાજનો જથ્થો મધ્યાહન ભોજન યોજના અંતર્ગતનો ?

મનપાના ભેસ્તાન શોપીંગ સેન્ટરમાંથી ઝડપાયેલો જથ્થો મધ્યાહન ભોજન યોજના હેઠળનો છે કે પછી જિલ્લા પુરવઠા વિભાગ તરફથી ફાળવવામાં આવતા અનાજનો છે એ તપાસનો વિષય બની રહ્યો છે . શોપીંગ સેન્ટરમાંથી જે અનાજ ઝડપાયું છે . તે અનાજનો જથ્થો મધ્યહન ભોજન યોજના અંતર્ગતનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે . મધ્યહન ભોજન યોજના અંતર્ગત ફાળવવામાં આવતું અનાજ રાજ્ય સરકાર સીધુ વેરહાઉસ વિભાગને ફાળવે છે અને વેર હાઉસ વિભાગ દ્વારા નજીકના સરકારી દુકાનદારને ફાળવવામાં આવે છે . ત્યારે આ અનાજનો જથ્થો ખરેખર મધ્યહન ભોજન યોજના હેઠળનો છે કે પછી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફાળવવામાં આવતા અનાજનો છે તે આગામી પ્રાપ્ત વિગતો મુજબ  સમયમાં બહાર આવશે.

આ મામલે વિપક્ષી સભ્ય દ્વારા નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે ગરીબોના અનાજનો કોળિયો છીનવવાની જેણે પણ કોશિશ કરી છે. તેમની સામે કડકાઈથી પગલાં લેવાવા જોઈએ. જયારે બીજી તરફ મનપાના પદાધિકારીઓ દ્વારા આ મામલે જે પણ કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : શેરડી કાપણીમાં ગેરવહીવટને પગલે સભાસદોને કરોડોનું નુકસાન, પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામાની માગ

Surat : કોર્પોરેશનના ગેરબંધારણીય નિર્ણયને રદ્દ કરવા કલેકટરને આવેદન, પશુઓના રજીસ્ટ્રેશન-ટેગના જાહેરનામા વિરૂદ્ધ માલધારી સમાજમાં આક્રોશ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">