AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોર્પોરેશનના ગેરબંધારણીય નિર્ણયને રદ્દ કરવા કલેકટરને આવેદન, પશુઓના રજીસ્ટ્રેશન-ટેગના જાહેરનામા વિરૂદ્ધ માલધારી સમાજમાં આક્રોશ

સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આવનારા બે મહિનામાં શહેરમાં જેટલા પણ પશુપાલકો છે તેમને તેમના પશુઓ પર ટેગ લગાવીને ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Surat : કોર્પોરેશનના ગેરબંધારણીય નિર્ણયને રદ્દ કરવા કલેકટરને આવેદન, પશુઓના રજીસ્ટ્રેશન-ટેગના જાહેરનામા વિરૂદ્ધ માલધારી સમાજમાં આક્રોશ
Protest against compulsory registration of animals(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:32 AM
Share

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા આગામી 60 દિવસમાં શહેરના(City ) હદ વિસ્તારમાં રહેતા પશુપાલકોને ફરજીયાત તેઓના પશુઓના રજીસ્ટ્રેશન(Registration ) સાથે ટેગ લગાવવાનું ફરમાન કરવામાં આવતાં માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે  મોટી સંખ્યામાં માલધારી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને મનપાના નિર્ણયને વખોડી કાઢવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીએ આવેદન આપવા માટે એકઠાં થયેલા માલધારી સમાજે ભારોભાર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હાલમાં મનપા દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે તે પશુપાલકો માટે અન્યાયી છે.

તેઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, 60 દિવસમાં મનપાના હદ વિસ્તારમાં પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાની સાથે મનપા દ્વારા લગાવવામાં આવનાર ટેગને પગલે માલધારી સમાજની સમસ્યામાં નિશ્ચિતપણે વધારો થશે. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ માલધારી સમાજ આ જાહેરનામું ગેરબંધારણીય હોવાનો પણ સૂર વ્યક્ત કર્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયોના રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી દરમ્યાન વાછરડા તેમજ ગાયોના મરણ બાદની કાર્યવાહી સંદર્ભે પણ કોઈ જોગવાઈ નથી. આ સિવાય કોઈ કારણોસર ગાય – ભેંસ સહિતના પશુઓના વેચાણ કરવામાં આવે તો પણ પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. જેને પગલે આ એકતરફી અને મનસ્વી જાહેરનામું રદ્દ કરવાની માંગ સાથે માલધારી સમાજ દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આવનારા બે મહિનામાં શહેરમાં જેટલા પણ પશુપાલકો છે તેમને તેમના પશુઓ પર ટેગ લગાવીને ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ જાહેરનામું મનસ્વી અને ગેરબંધારણીય હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તેઓએ ઘણા મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેના કારણે પશુપાલકોને આ નિર્ણયને કારણે સમસ્યા આવી શકે છે. જેથી કોર્પોરેશન આ નિર્ણય પાછો લે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

આ પણ વાંચો :  Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">