Surat : કોર્પોરેશનના ગેરબંધારણીય નિર્ણયને રદ્દ કરવા કલેકટરને આવેદન, પશુઓના રજીસ્ટ્રેશન-ટેગના જાહેરનામા વિરૂદ્ધ માલધારી સમાજમાં આક્રોશ

સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આવનારા બે મહિનામાં શહેરમાં જેટલા પણ પશુપાલકો છે તેમને તેમના પશુઓ પર ટેગ લગાવીને ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Surat : કોર્પોરેશનના ગેરબંધારણીય નિર્ણયને રદ્દ કરવા કલેકટરને આવેદન, પશુઓના રજીસ્ટ્રેશન-ટેગના જાહેરનામા વિરૂદ્ધ માલધારી સમાજમાં આક્રોશ
Protest against compulsory registration of animals(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:32 AM

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા આગામી 60 દિવસમાં શહેરના(City ) હદ વિસ્તારમાં રહેતા પશુપાલકોને ફરજીયાત તેઓના પશુઓના રજીસ્ટ્રેશન(Registration ) સાથે ટેગ લગાવવાનું ફરમાન કરવામાં આવતાં માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે  મોટી સંખ્યામાં માલધારી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને મનપાના નિર્ણયને વખોડી કાઢવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીએ આવેદન આપવા માટે એકઠાં થયેલા માલધારી સમાજે ભારોભાર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હાલમાં મનપા દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે તે પશુપાલકો માટે અન્યાયી છે.

તેઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, 60 દિવસમાં મનપાના હદ વિસ્તારમાં પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાની સાથે મનપા દ્વારા લગાવવામાં આવનાર ટેગને પગલે માલધારી સમાજની સમસ્યામાં નિશ્ચિતપણે વધારો થશે. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ માલધારી સમાજ આ જાહેરનામું ગેરબંધારણીય હોવાનો પણ સૂર વ્યક્ત કર્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયોના રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી દરમ્યાન વાછરડા તેમજ ગાયોના મરણ બાદની કાર્યવાહી સંદર્ભે પણ કોઈ જોગવાઈ નથી. આ સિવાય કોઈ કારણોસર ગાય – ભેંસ સહિતના પશુઓના વેચાણ કરવામાં આવે તો પણ પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. જેને પગલે આ એકતરફી અને મનસ્વી જાહેરનામું રદ્દ કરવાની માંગ સાથે માલધારી સમાજ દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આવનારા બે મહિનામાં શહેરમાં જેટલા પણ પશુપાલકો છે તેમને તેમના પશુઓ પર ટેગ લગાવીને ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ જાહેરનામું મનસ્વી અને ગેરબંધારણીય હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તેઓએ ઘણા મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેના કારણે પશુપાલકોને આ નિર્ણયને કારણે સમસ્યા આવી શકે છે. જેથી કોર્પોરેશન આ નિર્ણય પાછો લે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

આ પણ વાંચો :  Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">