AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: એથર કંપનીમાં લાગેલી આગમાં 7 મૃતકોના પરિવારજનોને અપાશે 50 લાખનું વળતર, ઈજાગ્રસ્તોને અપાશે 25 લાખનું વળતર

સુરતની સચિન GIDC માં આવેલ એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 7 કામદારો ભડથુ થઈ ગયા હતા. ભીષણ આગ બાદ 7 કામદારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સાતેયના આગની ઝપેટમાં આવી જવાથી કરૂણ મોત થયા છે. કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન સાતેયના મૃતદેહ મળ્યા હતા.

Surat: એથર કંપનીમાં લાગેલી આગમાં 7 મૃતકોના પરિવારજનોને અપાશે 50 લાખનું વળતર, ઈજાગ્રસ્તોને અપાશે 25 લાખનું વળતર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 11:46 PM
Share

સુરતની એથર કંપનીમાં લાગેલી આગમાં 7 કામદારોના મોત થયા છે. લાપતા સાતેય કામદારો ભીષણ આગમાં ભડથુ થઈ ગયા હતા. આ મોત બાદ કંપનીએ મૃતકોના પરિજનોને 50-50 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 25 લાખનું વળતર આપવામાં આવશે. એથર કંપનીએ મૃતકોના બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયારી બતાવી આ ઉપરાંત જો મૃતકના પરિવારમાં ફક્ત માતાપિતા હોય તો તેમની પણ જવાબદારી લેવાની જાહેરાત કરી છે.

મૃતકોના પરિજનોને 50 લાખનું વળતર આપવાની જાહેરાત

સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં બુધવારે આગ લાગતા મોતનું તાંડવ સર્જાયુ હતુ. જેમા 7 કામદારો તો બળીને ભડથુ થઈ ગયા જ્યારે 28 કામદારો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા 8 કામદારો ગંભીર રીતે દાજ્યા છે. 70 ટકાથી વધુ દાઝેલા કામદારો હોસ્પિટલના બિછાને તરફડિયા મારી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. આ દૃશ્યો અત્યંત હ્રદયદ્રાવક હતા. 8 કામદારો એવા છે જે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા કામદારો ગંભીર રીતે દાઝ્યા

મોડી સાંજે બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકલી હતી. જેમા સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા કારીગરો દાઝ્યા હતા. હાલ તો આ આગ કોની બેદરકારીથી લાગી જેના કારણે કામદારોના મોત થયા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મુલાકાત કરી હતી. પોલીસે 7 માનવ કંકાલની ઓળખ કરવા DNA સેમ્પલ લેશે. એટલુ જ નહીં તપાસના અંતે એજન્સીના રિપોર્ટના આધારે અલગ અલગ કલમો હેઠળ ગુન નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર 12 અને અંડર 14 ટીમનું દિલ્હી- જયપુરમાં શાનદાર પ્રદર્શન- જુઓ તસ્વીરો

ત્યારે અહીં સવાલ થાય કે શું એથર કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સુરક્ષિત નથી. કોની બેદરકારીથી સાત કામદારો ભડથું થયા?  કંપનીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હતી તો કાર્યવાહી કેમ કરવામાં ન આવી ? કેમ કંપનીના સંચાલકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીના સંચાલકોને કોણ છાવરી રહ્યું છે. શું આગમાં ભડથું થયેલા કર્મચારીઓના પરિવારને ન્યાય મળશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">