Surat : બારડોલીનો હરિપુરા કોઝવે ફરી બંધ થતા 14 ગામના લોકોને રોજનો 25 કિમીનો ચકરાવો, ઊંચો પુલ બનાવવા લોકોની માંગ

|

Sep 16, 2022 | 9:57 AM

અત્રે ઉલ્લેખનીય છે કે હરીપુરા કોઝવે પર દર ચોમાસે વારંવાર પાણી ફરી વળતા હોય કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના 14 થી વધુ ગામોએ હાલાકી વેઠવાનો વારો આવે છે

Surat : બારડોલીનો હરિપુરા કોઝવે ફરી બંધ થતા 14 ગામના લોકોને રોજનો 25 કિમીનો ચકરાવો, ઊંચો પુલ બનાવવા લોકોની માંગ
Haripura Causway Bardoli (File Image )

Follow us on

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Rain )કારણે ઉકાઇ (Ukai ) ડેમમાં પાણીની આવક વધતા 14 ગેટ ખોલતા એક લાખ સિતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી તાપી (Tapi ) નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેને પગલે સતત ત્રીજા દિવસે બારડોલી તાલુકાના કડોદ નજીક આવેલ હરીપુરા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

ચોમાસાની સિઝનમાં વારંવાર રસ્તો બંધ થતો હોય નદીને સામે પાર આવેલા માંડવી તાલુકા 14થી વધુ ગામોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી કોઝવે ઉપર થી પસાર થવા લાગતા સુરત જિલ્લા કલેક્ટરે કોઝવે પરથી અવર જવર ન કરવાની સુચના વહેતી કરી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

પુલ ઊંચો બનાવવા કરાઈ માંગ : 

અત્રે ઉલ્લેખનીય છે કે હરીપુરા કોઝવે પર દર ચોમાસે વારંવાર પાણી ફરી વળતા હોય કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના 14 થી વધુ ગામોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. કોઝવે ડૂબી જતા વિસ્તારના ગામોએ 25 કિલોમીટરથી વધુનો ચકરાવો લગાવવાની ફરજ પડે છે. ત્યારે સ્થાનિક નેતાઓ આ બાબતે ધ્યાન આપી ઊંચો પુલ બનાવી લોકોની મુશ્કેલી હળવી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો આજે સવારે 9 કલાકે ડેમની સપાટી 341.21 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 1,52,769 ક્યુસેક, જયારે ડેમમાંથી પાણીની જાવક 1,70,230 ક્યુસેક રાખવામાં આવી છે. જેના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર સાડા ત્રણ ફૂટ જ દૂર છે. એજ પ્રમાણે કોઝવેની વાત કરીએ તો સુરતના રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝવેની સપાટી હાલ 8.35 મીટર પર પહોંચી છે, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.

Input Credit by Jignesh Mehta (Bardoli )

Next Article