AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત: ધોરણ 10ની છાત્રાએ સ્યુસાઇડ નોટમાં લખી હચમચાવી દે એવી વાત

સુરત શહેરમાં બે અલગ-અલગ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી છે. બંને વિદ્યાર્થીનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.

સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત: ધોરણ 10ની છાત્રાએ સ્યુસાઇડ નોટમાં લખી હચમચાવી દે એવી વાત
Suicide of 2 female students in different incidents in the Surat city
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 11:28 AM
Share

Surat: સુરત શહેરમાં અલગ-અલગ બનાવમાં 2 વિદ્યાર્થિનીના (Students) આપઘાતની (Suicide) ઘટના સામે આવી છે. એક ઘટનામાં મારી પાછળ રડતાં નહીં’ લખી રાંદેરની ધોરણ 10ની છાત્રાએ ફાંસો ખાધો છે. તો બીજી તરફ પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી ગયો છે. જણાવી દઈએ કે બંને વિદ્યાર્થિનીઓ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

શહેરમાં બે અલગ-અલગ આપઘાતની ચોનાવાનારી ઘટના બની છે. આ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. એક બાળકી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તો અન્ય બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. ધોરણ 10 ની બાળકીની ઘટનામાં પ્રાથમિક માહિતી રહસ્યમય સંજોગોમાં મોત વ્હાલું કર્યું છે. ત્યારે ધોરણ 9 ની બાળકીએ માતાએ રસોઈની બાબતમાં ઠપકો આપતા આપઘાત કર્યો છે.

‘મારી પાછળ રડતા નહિ’

પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતો પરિવાર મજૂરી કરી 15 વર્ષીય બાળકીનું ભરણપોષણ કરતા હતા. આ વિદ્યાર્થીની ધો.10માં અભ્યાસ કરતી હતી. પતિ પત્ની બંને મજૂરી કામ કરતા હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે આ ઘટના શુક્રવારે ઘટી હતી. શુક્રવારે દંપતી કામ પર ગયા હતા. ત્યારે 10 વર્ષની દીકરીએ મોત વ્હાલું કર્યું. મળેલી સ્યુસાઇડ નોટમાં 15 વર્ષીય બાળકીએ લખું હતું કે ‘મારી પાછળ રડતા નહિ’. સાથે એમ પણ લખ્યું હતું કે ‘મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’. આવી સ્યુસાઇડ નોટ લખી સાંજે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

સાંજે કામ પરથી જ્યારે દંપતિ ઘરે આવે છે ત્યારે ઘટનાની જાણ થતા પગ નીચેથી જમીન સરકી જાય છે. આ બાદ તેમણે રાંદેર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. તો પુત્રીના આપઘાતના સમાચારથી તેના પિતા ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે. આ ઘટના બાદ પિતાને રાંદેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

માતાએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું

શહેરમાં અન્ય એક ઘટનામાં 15 વર્ષીય દીકરી કે જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે તેણે પણ આપઘાત કર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. આ ઘટનામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દંપતી મૂળ યુપીનો છે. ત્યારે આ દંપતીની દીકરી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. રસોઈ શીખવા માટે માતાએ ઠપકો આપ્યો હોવા બાદ દીકરીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આવેશમાં આવીને 15 વર્ષીય દીકરીએ પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તેના પિતાએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: આજે GPSC વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા, 183 જગ્યાઓ માટે 2 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

આ પણ વાંચો: Farmers Protest: ખેડૂતો આંદોલનને કારણે ઘણી ટ્રેનો કરવામાં આવી રદ, આ રહ્યું લિસ્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">