AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાયણના દિવસે ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવી પડશે મોંધી, સુરતમાં ઊંધિયામાં રુપિયા 30થી લઇને 50 સુધીનો ભાવ વધારો

ઉત્તરાયણ પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જતની માણવા લોકો આતુર હોય છે. જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓને ઊંધિયાની મજા ચાલુ વર્ષે થોડી ફિક્કી લાગી શકે છે. ઊંધિયું, જલેબી અને ફાફડાના એક કિલોના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો છે.

ઉત્તરાયણના દિવસે ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવી પડશે મોંધી, સુરતમાં ઊંધિયામાં રુપિયા 30થી લઇને 50 સુધીનો ભાવ વધારો
ઊંધિયાના ભાવમાં વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 2:32 PM
Share

ઉત્તરાયણ ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર છે. પતંગ ચગાવવાની સાથે આ દરમિયાન ખાણીપીણીના શોખીનો એવા સુરતીઓ ઉંધીયા, જલેબી અને પોંકનો સ્વાદ માણે છે. આ સિઝનમાં ઉંધીયાનું ખાસ આકર્ષણ હોય છે. આજ-કાલ તો જાત-જાતના પ્રકારના ઊંધિયા માર્કેટમાં જોવા મળે છે, સુરતમાં તો બારે માસ ઉંધીયાનું વેચાણ થાય છે. જો કે આ વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા ઊંધિયુ-જલેબી અને ફાફડના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ત્રણેય વસ્તુઓમાં રુપિયા 30થી લઇને 50 સુધીનો વધારો થયો છે.

સ્વાદ શોખીનોના ખિસ્સા થશે હળવા

ઉત્તરાયણ પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જતની માણવા લોકો આતુર હોય છે. જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓને ઊંધિયાની મજા ચાલુ વર્ષે થોડી ફિક્કી લાગી શકે છે. ઊંધિયું, જલેબી અને ફાફડાના એક કિલોના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ઊંધિયુ-જલેબીની ખરીદી ખિસ્સા પર ભારે પડી શકે છે. સિંગતેલ અને પાપડીના ભાવમાં થયેલા વધારને પગલે ઊંધિયું મોંઘું બન્યું છે. તો ઘીના ભાવ વધતા જલેબીમાં પણ સહેજ ભાવ વધારો નોંધાયો છે. જ્યારે ફાફડાના ભાવ પણ કિલો દીઠ 30 રૂપિયા વધી ગયા છે. આમ છતાં સુરતીલાલાઓ હોંશે-હોંશે ઊંધિયાના એડવાન્સ ઓર્ડર બુક કરાવી રહ્યાં છે.

ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ

ઊંધિયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોવા જઇએ તો આજનું ઊંધિયુ એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઊંધિયુ. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">