AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાયણના દિવસે ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવી પડશે મોંધી, સુરતમાં ઊંધિયામાં રુપિયા 30થી લઇને 50 સુધીનો ભાવ વધારો

ઉત્તરાયણ પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જતની માણવા લોકો આતુર હોય છે. જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓને ઊંધિયાની મજા ચાલુ વર્ષે થોડી ફિક્કી લાગી શકે છે. ઊંધિયું, જલેબી અને ફાફડાના એક કિલોના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો છે.

ઉત્તરાયણના દિવસે ચટાકેદાર ઊંધિયાની લિજ્જત માણવી પડશે મોંધી, સુરતમાં ઊંધિયામાં રુપિયા 30થી લઇને 50 સુધીનો ભાવ વધારો
ઊંધિયાના ભાવમાં વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 2:32 PM
Share

ઉત્તરાયણ ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર છે. પતંગ ચગાવવાની સાથે આ દરમિયાન ખાણીપીણીના શોખીનો એવા સુરતીઓ ઉંધીયા, જલેબી અને પોંકનો સ્વાદ માણે છે. આ સિઝનમાં ઉંધીયાનું ખાસ આકર્ષણ હોય છે. આજ-કાલ તો જાત-જાતના પ્રકારના ઊંધિયા માર્કેટમાં જોવા મળે છે, સુરતમાં તો બારે માસ ઉંધીયાનું વેચાણ થાય છે. જો કે આ વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા ઊંધિયુ-જલેબી અને ફાફડના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ત્રણેય વસ્તુઓમાં રુપિયા 30થી લઇને 50 સુધીનો વધારો થયો છે.

સ્વાદ શોખીનોના ખિસ્સા થશે હળવા

ઉત્તરાયણ પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જતની માણવા લોકો આતુર હોય છે. જો કે સ્વાદના શોખીન સુરતીલાલાઓને ઊંધિયાની મજા ચાલુ વર્ષે થોડી ફિક્કી લાગી શકે છે. ઊંધિયું, જલેબી અને ફાફડાના એક કિલોના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ઊંધિયુ-જલેબીની ખરીદી ખિસ્સા પર ભારે પડી શકે છે. સિંગતેલ અને પાપડીના ભાવમાં થયેલા વધારને પગલે ઊંધિયું મોંઘું બન્યું છે. તો ઘીના ભાવ વધતા જલેબીમાં પણ સહેજ ભાવ વધારો નોંધાયો છે. જ્યારે ફાફડાના ભાવ પણ કિલો દીઠ 30 રૂપિયા વધી ગયા છે. આમ છતાં સુરતીલાલાઓ હોંશે-હોંશે ઊંધિયાના એડવાન્સ ઓર્ડર બુક કરાવી રહ્યાં છે.

ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ

ઊંધિયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોવા જઇએ તો આજનું ઊંધિયુ એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઊંધિયુ. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">