AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ, પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા

પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે. જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે.

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ, પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા
file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 3:15 PM
Share

ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર પેપર ફુટવાની ઘટના બની છે. સુરતની (Surat) વીર નર્મદ યુનિવર્સિટીમાં (Veer Narmad University) બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ છે. પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે. જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે. વાડિયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફુટ્યુ હોવાનો દાવો એક સેનેટ સભ્યએ કર્યો છે. સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે કે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને એક દિવસ અગાઉ જ પેપર મળી ગયા હતા. તેમજ ગઇકાલે જ પેપર ફુટ્યાની માહિતી મળી ગઇ હોવાનો આરોપ સેનેટ સભ્યએ લગાવ્યો છે.

સેનેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ

વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બી.કોમ સેમેસ્ટર-6નું ઇકોનોમિક્સ પેપર ગઇકાલે જ વાડિયાની વિમેન્સ કોલેજમાંથી ફુટી ગયુ હતુ. સેનેટ સભ્યએ એમ પણ જણાવ્યુ કે યુનિવર્સિટીમાં આ અંગેની તેમણે માહિતી આપી હોવા છતા પણ પેપર બદલાવવામાં આવ્યુ નથી. પેપર ફુટી ગયુ છે તે જ પેપર વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપવામાં આવ્યુ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી નથી. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યુ કે યુનિવર્સિટીને તેમણે પેપર ફુટ્યુ હોવાના પુરાવા પણ આપ્યા હતા અને યુનિવર્સિટી તરફથી તપાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. તેમ છતા વિદ્યાર્થીઓને આજે ફુટી ગયેલુ પેપર જ પરીક્ષામાં આપવામાં આવ્યુ છે.

પેપર ખુલી ગયુ હતુ, ફુટ્યુ ન હતુ: કુલપતિ

બીજી તરફ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ પણ પરીક્ષાના એક કલાક પહેલા જ પેપરનુ પેક ખુલી ગયુ હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે તેમણે કહ્યુ હતુ કે અમારી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ સુધી આ પેપર પહોંચ્યુ નહોતુ. આમ છતા આ પરીક્ષાને રદ કરીને આ અંગે વધુ તપાસ કરવાની ખાતરી યુનિવર્સિટીના કુલપતિએ આપી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ એમ પણ કહ્યુ કે આજે સાંજે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તો વાડિયા વિમેન્સ કોલેજ સામે પણ સમયસર જાણ ન કરવા બદલ કાર્યવાહી કરવાનું કુલપતિએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Surat: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો

આ પણ વાંચોઃ  Junagadh: જેતપુર અને માળીયાહાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા, કેરીના પાકને નુકસાનની ભીતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">