AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ, પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા

પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે. જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે.

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ, પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા
file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 3:15 PM
Share

ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર પેપર ફુટવાની ઘટના બની છે. સુરતની (Surat) વીર નર્મદ યુનિવર્સિટીમાં (Veer Narmad University) બી.કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટ્યુ છે. પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટયુ હોવાની શક્યતા છે. જો કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું છે. વાડિયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફુટ્યુ હોવાનો દાવો એક સેનેટ સભ્યએ કર્યો છે. સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે કે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને એક દિવસ અગાઉ જ પેપર મળી ગયા હતા. તેમજ ગઇકાલે જ પેપર ફુટ્યાની માહિતી મળી ગઇ હોવાનો આરોપ સેનેટ સભ્યએ લગાવ્યો છે.

સેનેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ

વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બી.કોમ સેમેસ્ટર-6નું ઇકોનોમિક્સ પેપર ગઇકાલે જ વાડિયાની વિમેન્સ કોલેજમાંથી ફુટી ગયુ હતુ. સેનેટ સભ્યએ એમ પણ જણાવ્યુ કે યુનિવર્સિટીમાં આ અંગેની તેમણે માહિતી આપી હોવા છતા પણ પેપર બદલાવવામાં આવ્યુ નથી. પેપર ફુટી ગયુ છે તે જ પેપર વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપવામાં આવ્યુ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી નથી. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ જણાવ્યુ કે યુનિવર્સિટીને તેમણે પેપર ફુટ્યુ હોવાના પુરાવા પણ આપ્યા હતા અને યુનિવર્સિટી તરફથી તપાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. તેમ છતા વિદ્યાર્થીઓને આજે ફુટી ગયેલુ પેપર જ પરીક્ષામાં આપવામાં આવ્યુ છે.

પેપર ખુલી ગયુ હતુ, ફુટ્યુ ન હતુ: કુલપતિ

બીજી તરફ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ પણ પરીક્ષાના એક કલાક પહેલા જ પેપરનુ પેક ખુલી ગયુ હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે તેમણે કહ્યુ હતુ કે અમારી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ સુધી આ પેપર પહોંચ્યુ નહોતુ. આમ છતા આ પરીક્ષાને રદ કરીને આ અંગે વધુ તપાસ કરવાની ખાતરી યુનિવર્સિટીના કુલપતિએ આપી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ એમ પણ કહ્યુ કે આજે સાંજે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તો વાડિયા વિમેન્સ કોલેજ સામે પણ સમયસર જાણ ન કરવા બદલ કાર્યવાહી કરવાનું કુલપતિએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Surat: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો

આ પણ વાંચોઃ  Junagadh: જેતપુર અને માળીયાહાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા, કેરીના પાકને નુકસાનની ભીતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">