AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Surat: સેશન્સ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપ્યા રેગ્યુલર જામીન, સજા પર સ્ટે લગાવવાની અરજી મુદ્દે 13 એપ્રિલે થશે વધુ સુનાવણી

Surat: રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે સજા પર સ્ટે અંગે આગામી 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.

Breaking News: Surat: સેશન્સ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપ્યા રેગ્યુલર જામીન, સજા પર સ્ટે લગાવવાની અરજી મુદ્દે 13 એપ્રિલે થશે વધુ સુનાવણી
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 03, 2023 | 5:59 PM
Share

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી મોટી રાહત મળી છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના 13 એપ્રિલ સુધીના જામીન મંજૂર કર્યા છે. એટલે કે 13 એપ્રિલે સજા પર રોકની અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે. તો નીચલી કોર્ટના ચુકાદા પર 3મેના રોજ સુનાવણી હાથ ધરાશે. મહત્વપૂર્ણ છે કે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી દાખલ કરી હતી. આપને જણાવી દઈએ કે આ કેસમાં રાહુલ ગાંધીએ 10 એપ્રિલ સુધી કોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે. કોર્ટનાઅવલોકન મુજબ 13 એપ્રિલે રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહેવું જરૂરી નથી.

રાહુલ ગાંધી માટે આ બે તારીખો અતિ મહત્વની

આગામી 13 એપ્રિલે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકવાની અરજી પર સુનાવણી હાથ ધરાશે. આ દિવસે રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. જેમા રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રહેશે કે જશે તેનો પણ નિર્ણય થઈ જશે. બીજી મહત્વની તારીખ છે 3 જી મે. આ દિવસે નીચલી કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા રદ કરવી કે કેમ તેના પર સુનાવણી હાથ ધરાશે.

રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રહેશે કે જશે તેના પર હજુ પ્રશ્નાર્થ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી તો રાહત મળી ગઇ છે. પરંતુ હવે સવાલ એ સર્જાય છે કે રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનું શું થશે ? શું રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રહેશે કે જશે ? શું રાહુલ પાસેથી છીનવાયેલો સરકારી બંગલો તેમને પરત મળશે કે કેમ ? આ સવાલોનો જવાબ હવે પછીની 2 તારીખો આપશે. આ બંને તારીખો રાહુલ ગાંધી માટે અતિમહત્વની સાબિત થવાની છે.

કોર્ટ પ્રોસિડિંગ બાદ બાબુ માંગુકિયાએ Tv9 સંવાદદાતાના સવાલનો જવાબ આપતા જણાવ્યુ કે અમારી દૃષ્ટિએ હજુ મોટી રાહત બાકી છે. મોટી રાહત ત્યારે કહેવાય જ્યારે રાહુલ ગાંધીનું સસ્પેન્શન ઓફ કન્વિક્શન એટલે કે એમનુ સાંસદ પદ પાછુ આવે. આજની પ્રોસિડિંગમાં સૌપ્રથમ વકીલ દ્વારા અપીલ ફાઈલ કરવામાં આવી. જે કોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાઈ હતી. ત્યારબાદ સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ એટલે જામીનની માટે અરજી કરાઈ હતી. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ બાબત કન્વિક્શન સ્ટે કરવા માટે અપીલ કરાઈ હતી.

આ ત્રણ અરજી પૈકી કોર્ટે પ્રથમ બે અરજી જેમા કોર્ટમાં અપીલ એડમિટ કરવાની અરજી અને જામીન અરજી સ્વીકારી હતી. આ અપીલ અંગે સુનાવણી કોર્ટ તેમના સમય મુજબ કરશે. સૌથી મહત્વપૂર્ણ જે હતુ તે સાંસદ પદ બાબતે હતુ. જેમા રાહુલ ગાંધીને જે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એ દોષિત પર સ્ટે આવવો જોઈએ. તો જ એમનુ સભ્યપદ પાછુ આવે. તેમ બાબુ માંગુકિયાએ જણાવ્યુ હતુ.

રાહુલ ગાંધીનું સભ્યપદ કઈ કાયદાકીય લડાઈ અંતર્ગત પાછુ આવી શકે?

કોર્ટમાં 13 તારીખની સુનાવણીમાં જો કન્વિક્શન સસ્પેન્ડ થઈ જાય તો રાહુલ ગાંધી સાંસદ તરીકે આપોઆપ પાછા આવી જાય.  રાહુલ ગાંધીને જે દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમા સ્ટે મળશે તો તેમને લોકસભાનું સાંસદ પદ બચી શકે છે. આજની કાર્યવાહી રૂટિન કાર્યવાહી હતી. આથી આ રાહતને મોટી રાહત ન કહી શકાય. આ કેસમાં મહત્વપૂર્ણ સુનાવણી હવે 13 એપ્રિલે થશે જેના પર સહુ કોઈનો નજરો ટકેલી છે

આ પણ વાંચો: Breaking News: રાહુલ ગાંધીની લિગલ ટીમે ફાઈલ કરી અરજી, માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફાઈલ

રાહુલ ગાંધી દોષિત છે કે કેમ તેના પર સ્ટે આવી શકે નહીં તેના પર સુનાવણી

આગામી 13 એપ્રિલની સુનાવણી પર રાહુલ ગાંધી દોષિત છે કે કેમ તેના પર સ્ટે આપી શકાય કે નહીં તેના પર સુનાવણી થશે. 13 તારીખે રાહુલ ગાંધીએ કેસમાં હાજર રહેવાની જરૂર નથી. રાહુલને કોર્ટે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">