Surat Police: ગામને નિયમોનાં ફરફરિયા પકડાવતી સુરત પોલીસનાં PI સલૈયાનું વિદાય પાર્ટીમાં શક્તિપ્રદર્શન, કમિશનરે આપ્યા તપાસનાં આદેશ

Surat Police: ગામને કર્ફ્યુથી લઈને નિયમોનાં ફરફરિયા પકડાવતી રેહતી સુરત પોલીસ માટે કર્ફ્યુ સમયે તેના જ કર્મચારી દ્વારા યોજાયેલી વિદાય પાર્ટી નીચાજોણા સમાન બની રહી છે

| Updated on: May 27, 2021 | 2:21 PM

Surat Police: ગામને કર્ફ્યુથી લઈને નિયમોનાં ફરફરિયા પકડાવતી રેહતી સુરત પોલીસ માટે કર્ફ્યુ સમયે તેના જ કર્મચારી દ્વારા યોજાયેલી વિદાય પાર્ટી નીચાજોણા સમાન બની રહી છે. પોલીસનું જ જાહેરનામું અને પોલીસ કર્મચારી જ તેનો ભંગ પણ કરે છે. આ ફેરવેલ પાર્ટીનો વિડિયો વાયરલ થઈ જતા હવે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

સુરત પોલીસના પીઆઈ એ.પી.સલૈયાના વિદાય સમારોહ મુદ્દે તપાસના આદેશ અપાયા છે. પોલીસ કમિશ્નર અજય તોમરે આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. એડિશનલ પોલીસ કમિશ્નર પી એલ મલને તપાસ સોંપાઈ છે. રાત્રીના કરફ્યુ સમયે પીઆઈનો વિદાય સમારોહ યોજાયો હતો અને આ પાર્ટીમાં કોરોના કાળમાં પોલીસ અધિકારી જ નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

સિંગણપોરમાંથી બદલી થયેલા PI એ.પી.સલૈયાની બદલી ઇકો સેલમાં કરાઈ અને તેમનો વિદાય સમારોહ રાત્રીના કરફ્યૂ સમયે યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં પોલીસ અને ખાનગી માણસોની હાજરી જોવા મળી હતી. બદલી કરાઈ તેમાં એટલી મોટી ઉજવણી કરાઈ અને જાણે શક્તિ પ્રદર્શન ચાલતુ હોય તેમ પોલીસ અધિકારીઓ અહી ઉમટી પડ્યા હતા.

PI સલૈયા જે અત્યાર સુધી સિંગણપોરનો ચાર્જ સંભાળતા હતા તેઓ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યાં છે તેમના પર ચાર લોકોને ખોટી રીતે ગોંધી રાખવાનો આરોપ હતો. બીજુ જોવાની વાત એ છે કે અહી સામાન્ય લોકો જો આ રીતે નિયમો તોડે તો તેમને હજારો રૂપિયાનો દંડ ભરવો પડે છે પરંતુ અહી તો પોલીસ જ નિયમો તોડી રહી છે તો તેમની સામે કોણ પગલા લેશે તે એક મોટો સવાલ ઉભો થયો છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">