AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દિલ્લીમાં કાર વિસ્ફોટ બાદ સુરતના બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં સતત ચેકિંગ, જુઓ Video

દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર વિસ્ફોટના પગલે ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સ્તરીય એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે.

Surat : દિલ્લીમાં કાર વિસ્ફોટ બાદ સુરતના બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં સતત ચેકિંગ, જુઓ Video
Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2025 | 1:21 PM
Share

દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર વિસ્ફોટના પગલે ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સ્તરીય એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે. ગુજરાતના પોલીસ વડા દ્વારા રાત્રિ દરમિયાન અપાયેલા એલર્ટ બાદ, સુરત પોલીસે વહેલી સવારથી જ શહેરભરના સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે.

મુખ્યત્વે બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનો જેવા જાહેર પરિવહનના કેન્દ્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીં અવરજવર કરતા તમામ મુસાફરોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, અને તેમના સામાનની પણ ઝીણવટપૂર્વક ચકાસણી ચાલી રહી છે. શંકાસ્પદ જણાતા વાહનોનું પણ પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. દિલ્હીમાં કાર વિસ્ફોટ થયો હોવાથી, ખાસ કરીને ફોર-વ્હીલ કારો પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.

બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં સતત ચેકિંગ

આખી રાત દરમિયાન, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ પણ અલગ-અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે જેથી કોઈ સુરક્ષા કચાશ ન રહી જાય.

એસીપી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લાલ દરવાજા વિસ્તાર, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. રાત્રિ દરમિયાન મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ઈ-ડિવિઝનની ટીમોએ ભાગાતળાવ રસ્તા અને રેલવે નજીકની હોટલોમાં રોકાયેલા મુસાફરોની પણ તપાસ કરી હતી, જોકે હાલ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા નથી.

આ ઉપરાંત, પોલીસ દ્વારા બ્રિજ નીચે અથવા બે ઇમારતો વચ્ચે લાંબા સમયથી પડેલી અવાવરુ અને જૂની ગાડીઓની પણ ઓળખ કરીને તેમનું વેરિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ પગલાં સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">