સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર એક્શનમાં, 60 જેટલા IASની બદલીના ભણકારા, 9 IAS ઓફિસરોનાં પ્રમોશન માટેની પ્રક્રિયા પૂર્ણ
રાજ્ય સરકારના 60 જેટલા IASની બદલીના ભણકારા વાગી રહ્યા છે. કલેક્ટર, DDO, મનપા કમિશનરની બદલી થઈ શકે છે તો બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીની બદલીની શક્યતા છે. સચિવાલયના અધિકારીની સામૂહિક બદલીઓની સંભાવના પણ દેખાઈ રહી છે. દિવાળી વેકેશન પછી વહીવટી તંત્રના 60થી વધુ અધિકારીઓની બદલી થવાની શક્યતા છે તો આ બદલીઓ સાથે 9 IAS ઓફિસરોની બઢતીની […]
રાજ્ય સરકારના 60 જેટલા IASની બદલીના ભણકારા વાગી રહ્યા છે. કલેક્ટર, DDO, મનપા કમિશનરની બદલી થઈ શકે છે તો બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીની બદલીની શક્યતા છે. સચિવાલયના અધિકારીની સામૂહિક બદલીઓની સંભાવના પણ દેખાઈ રહી છે.
દિવાળી વેકેશન પછી વહીવટી તંત્રના 60થી વધુ અધિકારીઓની બદલી થવાની શક્યતા છે તો આ બદલીઓ સાથે 9 IAS ઓફિસરોની બઢતીની ફાઈલ પણ ક્લિયર થઈ શકે છે. 9 IAS ઓફિસરોનાં પ્રમોશન માટેની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. મહત્વનું છે કે, આ તમામ અધિકારીઓ 2005ની બેચના ગુજરાત કેડરના IAS છે.
9 ઓફિસરો પૈકી બે ઓફિસર ગુજરાત વહીવટી સેવામાંથી આવે છે, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEO અને રાહત કમિશનર હર્ષદ પટેલ તો અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ, માઇક્રો સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના કમિશનર રણજિત કુમાર, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલના ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી કે.કે. નિરાલા તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલ તેમજ જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલનો સમાવેશ થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો