Breaking News : એરંડાના બીજમાંથી તૈયાર થતુ હતું રાઇઝિન, બનાસકાંઠામાં આતંકવાદીઓએ ધામા નાખ્યાની આશંકા, જુઓ Video
ગુજરાત ATSએ ઝડપેલા ત્રણ આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ATSની તપાસમાં આતંકીઓના રાઇઝિન ઝેરના ખતરનાક ષડંયત્રનો પર્દાફાશ થયો હતો. આતંકી અહેમદ સૈયદ, આઝાદ સૈફ અને મોહમ્મહ સુહેલની ધરપકડમાં આ રાજ ખૂલ્યા હતા.

ગુજરાત ATSએ ઝડપેલા ત્રણ આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ATSની તપાસમાં આતંકીઓના રાઇઝિન ઝેરના ખતરનાક ષડંયત્રનો પર્દાફાશ થયો હતો. આતંકી અહેમદ સૈયદ, આઝાદ સૈફ અને મોહમ્મહ સુહેલની ધરપકડમાં આ રાજ ખૂલ્યા હતા. ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય શખ્સો લોકોની હત્યા માટે એરંડાના બીજમાંથી નીકળતા ઝેરનો ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા હતા.આતંકી અહમદના હૈદરાબાદના ઘર ખાતેથી તો એરંડામાંથી પ્રોસેસ કરાયેલો કેમિકલનો જથ્થો પણ મળ્યો છે.
રાઇઝિન ઝેર કેવી રીતે કરે છે કામ ?
ગુજરાતમાંથી આતંકવાદીઓ ઝડપાયા હતા. ત્યારે બનાસકાંઠા ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કરતો જિલ્લો છે. આતંકીઓ જે રાઇઝિન ઝેરનો ઉપયોગ કરીને મોટા હત્યાકાંડને અંજામ આપવાના હતા. તે રાઇઝિન ઝેર એરંડાના ખોળમાંથી તૈયાર થાય છે. જે સાયનાઇડ કરતાં પણ હજારો ગણું વધુ ઝેરી છે. માત્ર 20 મિલિગ્રામ રાઇસિન પણ વ્યક્તિનો જીવ લઈ શકે છે. રાઇઝિન ઝેર શરીરમાં દાખલ થાય એટલે શરીરના કોષોમાં પ્રોટીનની પ્રક્રિયા અટકાવે છે અને કોષો મૃત્યુ પામતા અવયવો કામ કરવાનું બંધ કરે છે અને વ્યક્તિ દમ તોડી દે છે. સ્વાદ કે ગંધ ન હોવાથી ભોજનમાં ભળે તો ઓળખી શકાતું નથી
એરંડાના ખોળમાંથી તૈયાર કરાય છે ઝેરી પ્રોટીન
એરંડાનો છોડ પોતાના પર લાગતા રોગો સામે રક્ષણ મેળવવા માટે રાઇઝિન રસાયણ ઉત્પન્ન કરે છે. જે એરંડાનું તેલ કાઢી લીધા બાદ વધતા તેના ખોળમાં હોય છે. અરંડાના ખોળમાં 5 ટકા જેટલું રાઇઝિન હોય છે. જેને પ્રોસેસ કરીને આ ઝેર તૈયાર કરાતું હોય છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાસાયણિક શસ્ત્ર બનાવવા માટે રાઇઝિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિશ્વભરમાં 90 ટકા એરંડાનું ઉત્પાદન ભારતમાં થાય છે અને તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ એરંડાનો રોકડિયો પાક લેવાઈ છે. આંતકીઓએ આ રસાયણ માટે બનાસકાંઠામાં ધામા નાખ્યા હોવાની આશંકા છે. ગુજરાત ATSએ ઝડપેલા ત્રણ આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ATSની તપાસમાં આતંકીઓના રાઇઝિન ઝેરના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આતંકી અહેમદ સૈયદ, આઝાદ સૈફ અને મોહમ્મહ સુહેલની ધરપકડમાં આ રાજ ખૂલ્યા હતા. ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય શખ્સો લોકોની હત્યા માટે એરંડાના બીજમાંથી નીકળતા ઝેરનો ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા હતા. આતંકી અહમદના હૈદરાબાદના ઘર ખાતેથી તો એરંડામાંથી પ્રોસેસ કરાયેલો કેમિકલનો જથ્થો પણ મળ્યો છે.
( વીથ ઈનપુટ – અતુલ ત્રિવેદી)