સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો

સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે. કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. અમરસિંહના પરિવારમાંથી અગાઉ નિશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. નિશા ચૌધરી ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા.

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા, ઉમેદવાર વિશે જાણો
ડો. તુષાર ચૌધરી વિશે જાણો
Follow Us:
| Updated on: Mar 22, 2024 | 8:36 AM

સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે. તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. અમરસિંહના પરિવારમાંથી અગાઉ નિશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. નિશા ચૌધરી ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા.

અમરસિંહ ચૌધરી પણ ખેડબ્રહ્મા બેઠક પરથી સળંગ ત્રણ ટર્મ ચૂંટાઇ આવ્યા હતા અને હવે તેમનો પુત્ર આ બેઠક પરથી ધારાસભ્ય છે. આમ ઇતિહાસને જોતા કોંગ્રેસે હવે ફરી એકવાર ચૌધરી પરિવાર પર દાવ ખેલ્યો છે. ડો. તુષાર ચૌધરી અને તેમનો પરિવાર વ્યારાનો છે અને સાબરકાંઠામાં તેમના પરિવારમાથી ચોથા સભ્ય ચૂંટણી માટે મેદાનમાં આવ્યા છે. જેમાંથી ત્રણ સફળ અને એક નિષ્ફળ રહ્યા છે.

ખેડબ્રહ્માથી વિધાનસભા જીત્યા

કોંગ્રેસે લોકસભા 2024 ના ઉમેદવાર તરીકે ડો તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તુષાર ચૌધરી વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા હતા. તુષાર ચૌધરીએ સ્થાનિક દિગ્ગજ આદિવાસી નેતા અશ્વિન કોટવાલને હરાવીને જીત મેળવી હતી. આ સાથે જ તે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે દાવેદાર થવા લાગ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તુષાર ચૌધરી બેઠકના ઉમેદવાર તરીકે દાવેદાર હોવાનું ચર્ચામાં હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખેડબ્રહમા બેઠક પરથી તુષાર ચૌધરીની પિતા સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી વર્ષ 1995, 1998 અને 2002 માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2007, 2012 અને 2017 માં અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા બેઠક પરથી વિજયી રહ્યા હતા. હવે કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને હરાવીને વિધાનસભામાં જીત મેળનારા તુષાર ચૌધરી સાબરકાંઠાની બેઠકમાં ટક્કર મજબૂત બનાવશે.

રાજકીય કરિયર

58 વર્ષના તુષાર ચૌધરીએ પ્રથમ વાર ચુંટણી 2002 માં વ્યારા બેઠક પરથી લડી હતી અને જીત મેળવી હતી. ત્યારબાદ યુવા ચહેરા તરીકે તત્કાલીન માંડવી લોકસભા બેઠક પરથી મેદાને ઉતરતા જીત નોંધાવી હતી. 2009માં તેઓ બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આમ ટૂંકા સમયમાં બે વાર સાંસદ અને એક વાર વિધાનસભાની ચૂંટણી જીતી હતી.

2009 થી 2012 સુધી તેઓ રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન રહ્યા હતા. તેઓ માર્ગ અને વાહનવ્યવહાર પ્રધાન રહ્યા હતા. જોકે વર્ષ 2014 અને 2019માં સળંગ બંનેવાર તુષાર ચૌધરી બારડોલી બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. આ દરમિયાન 2017માં મહુવા વિધાનસભા બેઠક પરથી હાર મેળવી હતી. આમ લાંબા સમયબાદ 2022 માં તુષાર ચૌધરીને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો.

પરિવારમાંથી લોકસભાના બીજા ઉમેદવાર

સાબરકાંઠા બેઠક પર અમરસિંહ ચૌધરીના પરિવારમાંથી આ બીજા ઉમેદવાર છે કે, જે મેદાને ઉતર્યા છે. આ પહેલા સાબરકાંઠા બેઠક પર નિશાબેન ચૌધરી 1996માં લોકસભાના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા. તેઓ 1996, 1998 અને 1999માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહ્યા હતા. 2001 માં નિશાબેનના અવસાન બાદ પેટાચૂંટણી યોજાતા મધુસૂદન મિસ્ત્રીનો વિજય થયો હતો.

તુષાર ચૌધરી હવે પરિવારના સંપર્ક અને તેમના સંબંધોને આધારે હવે સાબરકાંઠામાં પોતાનો પગ જમાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં વિજયી રહ્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ મજબૂત ઉમેદવાર તરીકે કોંગ્રેસ તેમને જોઈ રહી હશે. જોકે તુષાર ચૌધરીએ ત્રણ ટર્મથી ભાજપનો ઝંડો લહેરાવતી બેઠક પર કપરાં ચડાણ સાથે શરુઆત કરવી પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">