સાબરકાંઠા જીલ્લામાં અત્યારે સૌથી મોટી પરેશાની કોઈ રોગ હોય તો તે છે શંકાસ્પદ ચાંદીપુરમ. જીહા ચાંદીપુરમે જીલ્લામાં રીતસરનો આતંક મચાવ્યો છે તેવું કહીએ તો બિલકુલ અતિશયોક્તિ નહી કહેવાય. ચાંદીપુરમ વાઇરસથી 4 બાળકનો મોત નીપજ્યા છે. ત્રણ દિવસ પહેલા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયાનું સામે આવ્યું છે..મૃતકમાં એક બાળક ખેડબ્રહ્માનું, એક રાજસ્થાનનું હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ચેપગ્રસ્ત થયેલા 2 દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમના સેમ્પલ તપાસ માટે પૂણે મોકલાયા
હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં પ્રથમ કેસ 27 જૂન 2024ના રોજ નોંધાયો હતો. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું. ત્યારબાદ 5 જુલાઈ 2024ના રોજ બીજો કેસ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયાની 6 વર્ષીય બાળકી નિપજ્યું હતું. ત્રીજો કેસ 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના કોડારીયા ગામનો નોંઘાયો હતો. 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. ચોથા કેસમાં અરવલ્લી જિલ્લાના તાનપુરના 2 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. આમ 17 દિવસમાં ચારના મોત થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં 8 જુલાઈ 2024ના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અકીવાડા ગામની 4 વર્ષીય બાળકી અને 9 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપળીયા ગામની 9 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે.
સૌથી મોટી અને પડકારજનક બાબત એ છે કે જો ચાંદીપુરમ વાયરસ હોય તો તે ફેલાય પણ શકે છે. સવાલ એ છે કે આખરે ચાંદીપુરમ વાયરસના લક્ષણ શું છે ?
સાથે જ ચાંદીપુરમના લક્ષણ ઈન્સેફ્લાઈટિસ એટલે કે મગજના તાવને મળતા આવે છે. જો કોઈનામા પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ખુબ જ જરૂરી બની જાય છે. ઉપરાંત આ વાયરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે. જેથી કરીને ઘર અને બહાર સ્વચ્છતા રાખવી અત્યંત જરૂરી છે. જેથી કરીને ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય
આ એક એવો ખતરનાક વાયરસછે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે. જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂના લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતા બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાયરસનું નામ એક ગામના નામ પર રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાયરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય રીતે આ વાઈસ 14 વર્ષ કરતા નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે.
આ સ્થિતિમાં હવે જરૂર છે તે આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે વાયરસને અટકાવવા માટે કામ કરે. કારણ કે બાળકોમાં વાયરસ ફેલાય રહ્યો છે અને અત્યાર સુધી જેટલા લોકો તેનો ભોગ બન્યા છે તેમની ઉંમર 2 વર્ષથી 9 વર્ષ સુધીની છે અને એટલે જ આ વાયરસ વિષે ચિંતા લોકોમાં વધી રહી છે. જોવું રહ્યુ કે આગામી દિવસોમાં પ્રશાસન વાયરસને કેટલું જલ્દી અટકાવવામાં સફળતા મેળવે છે.
Published On - 1:21 pm, Sun, 14 July 24