Rajkot: ભેળસેળ યૂક્ત બાયોડિઝલના ગોરખધંધામાં ઉચ્ચ અધિકારીના ખાસ સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ? SMCએ સ્ફોટક રિપોર્ટ કર્યો તૈયાર

બુધવારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા દરોડો કરવામાં આવ્યો હતો જેમાં 12000 લીટર જેટલું ભેળસેળ યૂક્ત ડિઝલ પકડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈ SMCએ સ્ફોટક રિપોર્ટ તૈયાર કર્યો છે.

Rajkot: ભેળસેળ યૂક્ત બાયોડિઝલના ગોરખધંધામાં ઉચ્ચ અધિકારીના ખાસ સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ? SMCએ સ્ફોટક રિપોર્ટ કર્યો તૈયાર
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:50 PM

રાજકોટમાં ગત બુધવારના રોજ કુવાડવા રોડ પર આવેલા સરકારી ખરાબામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા શંકાસ્પદ ડિઝલનો જથ્થો બાયોડિઝલ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના ધેરા પ્રત્યાધાતો પડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા આ મુદ્દે રાજકોટ પોલીસ વિરુદ્ધનો સ્ફોટક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં સ્થાનિક પોલીસકર્મીની સંડોવણી ખૂલી છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ પોલીસકર્મી રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ઘરોબો ધરાવે છે.

12000 લીટર બાયોડિઝલમા કેસમાં મુખ્ય સૂત્રધાર ફરાર

ગત બુધવારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા દરોડો કરવામાં આવ્યો હતો જેમાં 12000 લીટર જેટલું ભેળસેળ યૂક્ત ડિઝલ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં ડિઝલ ભરવા આવેલા ટેન્કર, 4 ટ્રક અન્ય વાહનો અને પંપના મેનેજર, ફિલર અને ટ્રકના ચાલક સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ દરોડા દરમિયાન બાયોડિઝલના સંચાલક મનહરસિંહ જાડેજા ઉર્ફે મુન્ના જાડેજા હજુ ફરાર છે જેની શોધખોળ પોલીસ દ્રારા શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસકર્મીની સંડોવણીથી અધિકારીઓમાં ફફડાટ

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા દરોડો કરવામાં આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જો કે સ્ટેટ મોનિટરીંગ સેલે જે રિપોર્ટ તૈયાર કર્યો છે તે પ્રમાણે રાજકોટના ઉચ્ચ અધિકારી સાથે સાંઠગાઠ ધરાવતા એક પોલીસકર્મીની સંડોવણી ખૂલી છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે જેગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો, જાણો શું થયા ખુલાસા

આ પોલીસકર્મીની મંજૂરીથી આ બાયોડિઝલનો વેપાર ધમધમતો હતો. સવાલ એ વાતનો છે કે શું પોલીસ કર્મીના કહેવાથી આટલી મોટી મંજૂરી મળે ખરા? ઉચ્ચ અધિકારીઓની આર્શિવાદ વિના આ મંજૂરી ન મળે તે ચોખ્ખી વાત છે ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ફોટક રિપોર્ટમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">