Rajkot: ગોંડલમાં નાની એવી બાબતમાં મોટા ભાઇએ નાના ભાઇની હત્યા કરી નાખી, જાણો શું હતો વિવાદ
ગંભીર રીતે ઘાયલ થયા બાદ નાના ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોંડલ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં હત્યારા મોટાભાઈને પકડી પડ્યો હતો.
સમાજમાં ભાઈ ભાઈનો સબંધ એટલે મજબૂત અને ઉંચો સબંધ કહેવાય છે પરંતુ રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ (Gondal) માં આ ઉંચા લોહીના સબંધને એક ભાઈએ લજવ્યો છે. અહીં મોટાભાઈએ નાના ભાઈ (brother) ની હત્યા કરી નાખી છે એ પણ નાની એવી વાતમાં. ઘટના છે ગોંડલની, શહેરના ગુંદાળા ચોકડી પાસે રહેતા બે પશુપાલક અને મજૂર પરિવારની છે. કેશુભાઈ હકુભાઇ પરમાર (ઉંમર વર્ષ 35) અને તેના જ મોટાભાઈ ભીખા બાજુ બાજુમાં રહે છે અને પશુ પાલકનો ધંધો કરે છે.
ગત રોજ બંને ભાઈઓ વચ્ચે બકરાંના ઘાસ ચારા માટે માથાકૂટ થઇ અને બંને વચ્ચે ઝઘડો પણ થયો. જેમાં મોટાભાઈ ભીખાભાઈએ નાના ભાઈ કેશુને માથામાં લાકડાના ધોકા વડે માર મારતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોંડલ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં હત્યારા મોટાભાઈ ભીખાભાઈને પકડી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી..
એવું તો શું થયું કે બંને એક બીજાના વેરી બની ગયા
કેશુભાઈ હકુભાઇ પરમાર અને તેના મોટાભાઈ ભીખાભાઇ કેશુભાઈ પરમાર બંને ગોંડલની ગુંદાળા ચોકડી પાસે રહે છે અને અહીં તેવો પશુપાલનનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. ગતરોજ બંને ભાઈઓ ઘરે હતા, ત્યારે બકરાના ઘાસચારાને લઈને ઝઘડો થયો હતો, નાનાભાઈ કેશુએ થોડો ઘાસચારો મોટાભાઈના ઘાસચારામાંથી લીધો હતો, નાનાભાઇએ ઘાસચારો લીધો અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મોટાભાઈ ભીખાભાઇએ ગુસ્સામાં આવતા બાજુમાં પડેલ લાકડાના ધોકો લઈને નાનાભાઇને માર માર્યો હતો. જેમાં બે ત્રણ મરણતોલ ઘા કેશુભાઈના માથામાં વાગ્યા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કેશુભાઈનું મોત થયું હતું.
આ પણ વાંચોઃ Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ
આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી