Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારા પર જે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે તેને હું સમય આવીએ જવાબ આપીશ,જો કે આજની બેઠક સામાજિક બેઠક છે જેથી તેમાં હું કોઇ રાજકીય ચર્ચા કરીશ નહિ.

Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ
સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 19, 2022 | 6:42 PM

રાજકોટ (Rajkot) જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia) પોતાના પર લાગેલા આક્ષેપો અંગે પ્રથમ વખત મૌન તોડ્યું હતું. આજે લેઉવા પાટીદાર કન્યા છાત્રાલયમાં જયેશ રાદડિયાએ જ્ઞાતિની બેઠક અંગે મિડીયા સાથે વાતચીત કરી હતી જેમાં જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્ર (cooperative sector) માં તેના પર લાગેલા આક્ષેપો અંગે જવાબ આપ્યો હતો. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારા પર જે લોકો આક્ષેપ (allegation) લગાવી રહ્યા છે તેને હું સમય આવીએ જવાબ આપીશ,જો કે આજની બેઠક સામાજિક બેઠક છે જેથી તેમાં હું કોઇ રાજકીય ચર્ચા કરીશ નહિ.

સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે તેની રાજકીય અને સામાજિક જગત સાથે સંકળાયેલા લોકો નજર લગાવીને બેઠકમાં છે. આ અંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સમાજની બેઠકમાં રાજકીય વાર્તાલાપ નહીં થાય, યોગ્ય સમયે જવાબ આપીશ.

સમાજ અને રાજકારણને અલગ રાખ્યું છે

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે વર્ષોથી તેઓ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વર્ષોથી તેઓ રાજકારણ પણ કરી રહ્યા છે પરંતુ ક્યારેય સમાજના નામે રાજકારણ કર્યું નથી.આજની બેઠકમાં કેટલાક ભાજપ સિવાયની વિચારધારા વાળા પણ ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે અને તેઓ પણ આજની બેઠકમાં હાજર રહેવાના છે ત્યારે લેઉવા પટેલ ટ્રસ્ટની બેઠકમાં કોઇ જ રાજકીય ચર્ચા નહિ થાય..

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રાદડિયા પર આક્ષેપ કરનાર પણ આવશે બેઠકમાં

સહકારી ક્ષેત્રમાં ડી.કે,સખિયા જુુથ જયેશ રાદડિયા સામે પડ્યું છે.આજની બેઠકમાં ટ્રસ્ટી તરીકે ડી.કે સખિયા પણ હાજર રહેવાના છે.જયેશ રાદડિયા સામે થયેલા આક્ષેપ બાદ પ્રથમ વખત ડી.કે,સખિયા જુથના લેઉવા પાટીદાર અગ્રણીઓ જયેશ રાદડિયાને મળવાના છે.જો કે જયેશ રાદડ઼િયાએ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય આ બંન્નેમાં જે પણ વિવાદ હોય તેની આ બેઠક સ્થળે કોઇ જ ચર્ચા નહિ થાય.તમામનું અહીં સ્વાગત છે અને આજની બેઠકમાં માત્ર સમાજની વિવિધ સંસ્થાઓના ઉત્કર્ષની જ ચર્ચા થશે.

આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

આ પણ વાંચોઃ 20 માર્ચ એટલે World Sparrow Day , જેતપુરના એક હોટલ માલિકનો અનોખો ચકલી પ્રેમ, જાણો કેવી રીતે કરે છે ચકલીઓનું જતન

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">