Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

મૃતક અને આરોપીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી.. જેની અદાવતમાં 14 માર્ચના રોજ સમાધાન કરવાના બહાને આરોપી અને ચેતન તેમજ તેના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ચેતનને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી
પોલીસે આપઘાતના દુષપેરણાનો ગુનો નોંધીને બે સાઢું ભાઈની ધરપકડ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 6:18 PM

અમદાવાદ (Ahmadabad) ના 16 વર્ષના કિશોર (Teenager) ચેતન ઉર્ફે ચિન્ટુ નગવાડિયાએ અશ્વિન જીતિયા અને અશોક પારઘીની ધમકી (threatening) થી કંટાળીને આપઘાત (suicide) કર્યો હોવાનું આક્ષેપને લઈને એલિસબ્રિજ પોલીસ (police) સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટમાં આવું છું તેવું કહીને નીકળ્યો હતો અને ઘરે પરત ફર્યો નહતો. પરિવારે અપહરણનો ગુનો નોંધાવ્યા હતો. આ દરમ્યાન ચેતનનો મૃતદેહ રિવરફન્ટ સાબરમતી નદીમાંથી મળ્યો હતો. જેથી પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી.

આપઘાત માટે દુષપ્રેરીત કરનાર બે સાઢું ભાઈઓની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો જે બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટ માં આવું છું તેવું કહીને નીકળ્યો ગયો હતો. આ દરમ્યાન ચેતનનો મૃતદેહ રિવરફન્ટ નદીમાંથી મળી આવતા પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ભુદરપુરામાં રહેતા અશ્વિન જીતિયા અને અશોક પારઘી બન્ને સાઢુ ભાઈઓ છે. મૃતક અને આરોપીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી.. જેની અદાવતમાં 14 માર્ચના રોજ સમાધાન કરવાના બહાને આરોપી અને ચેતન તેમજ તેના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ચેતનને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ચેતનના માતા પિતાએ માફી માંગી હોવા છતાં ધમકી આપી હતી. જેનાથી ચેતન ડરી ગયો હતો અને મનમાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું આક્ષેપ પરિવારે લગાવ્યો હતો..જેને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. એલિસબ્રિજ પોલીસે આપઘાત કેસમાં કિશોર નો પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મૃતક ચાર દિવસથી ગુમ હતો.. જેથી ફક્ત ઝઘડાની અદાવત હતી કે અન્ય કોઈ કારણ હતું. તે મામલે વધુ તપાસ શરૂ કરી છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

આ પણ વાંચોઃ Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ

આ પણ વાંચોઃ Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ

g clip-path="url(#clip0_868_265)">