AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

મૃતક અને આરોપીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી.. જેની અદાવતમાં 14 માર્ચના રોજ સમાધાન કરવાના બહાને આરોપી અને ચેતન તેમજ તેના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ચેતનને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી
પોલીસે આપઘાતના દુષપેરણાનો ગુનો નોંધીને બે સાઢું ભાઈની ધરપકડ કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 6:18 PM
Share

અમદાવાદ (Ahmadabad) ના 16 વર્ષના કિશોર (Teenager) ચેતન ઉર્ફે ચિન્ટુ નગવાડિયાએ અશ્વિન જીતિયા અને અશોક પારઘીની ધમકી (threatening) થી કંટાળીને આપઘાત (suicide) કર્યો હોવાનું આક્ષેપને લઈને એલિસબ્રિજ પોલીસ (police) સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટમાં આવું છું તેવું કહીને નીકળ્યો હતો અને ઘરે પરત ફર્યો નહતો. પરિવારે અપહરણનો ગુનો નોંધાવ્યા હતો. આ દરમ્યાન ચેતનનો મૃતદેહ રિવરફન્ટ સાબરમતી નદીમાંથી મળ્યો હતો. જેથી પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી.

આપઘાત માટે દુષપ્રેરીત કરનાર બે સાઢું ભાઈઓની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાર દિવસ પહેલા અગાઉના ઝઘડામાં ચેતન અને બન્ને આરોપી વચ્ચે ઝઘડો થયો જે બાદ ચેતન ઘરની બહાર પાંચ મિનિટ માં આવું છું તેવું કહીને નીકળ્યો ગયો હતો. આ દરમ્યાન ચેતનનો મૃતદેહ રિવરફન્ટ નદીમાંથી મળી આવતા પરિવારે અશ્વિન અને અશોક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ભુદરપુરામાં રહેતા અશ્વિન જીતિયા અને અશોક પારઘી બન્ને સાઢુ ભાઈઓ છે. મૃતક અને આરોપીના દીકરા સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો અને મારામારી થઈ હતી.. જેની અદાવતમાં 14 માર્ચના રોજ સમાધાન કરવાના બહાને આરોપી અને ચેતન તેમજ તેના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ચેતનને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ચેતનના માતા પિતાએ માફી માંગી હોવા છતાં ધમકી આપી હતી. જેનાથી ચેતન ડરી ગયો હતો અને મનમાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું આક્ષેપ પરિવારે લગાવ્યો હતો..જેને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. એલિસબ્રિજ પોલીસે આપઘાત કેસમાં કિશોર નો પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મૃતક ચાર દિવસથી ગુમ હતો.. જેથી ફક્ત ઝઘડાની અદાવત હતી કે અન્ય કોઈ કારણ હતું. તે મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ

આ પણ વાંચોઃ Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">