Rajkot : કોર્પોરેશનના આવાસ પર ગેરકાયદે કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે યોગ્ય સાફ સફાઇ રાખવા અને તેમાં કોઇ ગેરકાયદેસર વ્યક્તિ ન પ્રવેશે અને જો પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

Rajkot : કોર્પોરેશનના આવાસ પર ગેરકાયદે કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે
Rajkot Illegal occupants of corporation housing to be prosecuted under Land Grabbing Act
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 06, 2021 | 5:34 PM

રાજકોટ(Rajkot)મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ શહેરની અલગ અલગ આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ(Land Grabing Act)અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચના આપી છે.આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ વિવિધ આવાસ યોજનાઓની મુલાકાત લીધી હતી અને આવાસ યોજના અંગે રિવ્યુ બેઠક કરી હતી .

લોકો સામે કડક કાર્યવાહી કરવા  કમિશ્નરનો આદેશ 

જેમાં કેટલીક વાતો ધ્યાને આવી હતી કે આવાસ યોજનામાં જે આસામીઓએ આવાસ ખરીઘા નથી તેવા બંધ પડેલા આવાસમાં તાળુ તોડીને કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે જેથી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા હેતુથી આવા ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની સૂચના આપી છે..

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

શહેરમાં કુલ 660 જેટલા આવાસ ખાલી

અમિત અરોરાએ આજે કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજના,સાઘુ વાસવાણી રોડ પર આવેલી રાજીવ આવાસ યોજના,મોરબી રોડ પર આવેલી ક્રાંતિકારી ચંદ્રશેખર આવાસ યોજના અને કુવાડવા રોડ પર આવેલી આવાસ યોજનાની મુલાકાત લીઘી હતી.મ્યુનિસિપલ કમિશનરની મુલાકાતમાં ધ્યાને આવ્યું હતુ કે અલગ અલગ આવાસ યોજનામાં અંદાજિત 660 જેટલા આવાસ ખાલી છે.

આવા આવાસોમાં મ્યુનિસિપલ કમિશનરે યોગ્ય સાફ સફાઇ રાખવા અને તેમાં કોઇ ગેરકાયદેસર વ્યક્તિ ન પ્રવેશે અને જો પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

કોરોનાકાળ બાદ આવાસ યોજનામાં નિરુત્સાહ

કોરોનાકાળની સૌથી વધારે માઠી અસર આવાસ યોજના પર પડી છે.શહેરમાં આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા તો લોકોએ તેમાં નિરુત્સાહ દેખાડ્યો હતો.તો કેટલાક કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે આવાસના હપ્તાઓ ન ભરી શકવાને કારણે આવાસનો કબ્જો લેવામાં આવી રહ્યો નથી જેના કારણે આવા આવાસોની ફાળવણી થઇ હોવા છતા બંધ પડેલા છે.

મ્યુનિસિપલ કમિશનરની આવાસ અંગેની મુલાકાત અને રિવ્યુ બેઠકમાં ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ,આવાસ યોજનના ઇન્ચાર્જ ઇજનેર એસ.બી.છૈયા,પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર,મ્યુનિસિપલ કમિશનર પીએ રસિક રૈયાણી,ડેપ્યુટી ઇજનેર પી.ટી,પટેલ આસી.મેનેજર કૌશિક ઉનાવા તથા નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવેર ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કોરોના જ્ઞાનશાળા: શું ભારતમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે?

આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">