AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: કિરણ પટેલ જેવા જ વધુ એક મહાઠગની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, IAS ઓફિસરની ઓળખ આપી એક કરોડથી વધુ રૂપિયા પડાવ્યા

Rajkot: રાજકોટમાંથી કિરણ પટેલ જેવા જ વધુ એક મહાઠગની રાજકોટ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. IAS ઓફિસરની ઓળખ આપી અનેક લોકો 1.25 કરોડથી વધુ રૂપિયાનો ચુનો લગાવી ચુક્યો છે. વાંચો શું છે આ ઠગનો ઇતિહાસ અને મોડેસ ઓપરેન્ડી.

Rajkot: કિરણ પટેલ જેવા જ વધુ એક મહાઠગની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, IAS ઓફિસરની ઓળખ આપી એક કરોડથી વધુ રૂપિયા પડાવ્યા
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 17, 2023 | 4:23 PM
Share

રાજકોટમાં એક વેપારી સાથે વધુ એક મહાઠગએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ ઠગએ રાજકોટના ઉદ્યોગપતિ સાથે IAS અધિકારી અને IBના ડેપ્યુટી ડાયરેકટરની ઓળખ આપી 1.25 કરોડથી વધુની ઠગાઇ આચરી છે. ઠગ હિતેશ ઠાકરએ 3 વર્ષના સમયગાળામાં ગૌચરની જમીન અપાવવા, ડિફેન્સ વિભાગમાં વાયરનો કોન્ટ્રાક્ટ અપાવવા, ધંધાકીય મનદુઃખમાં સમાધાન કરાવી ભાગીદારોને ધંધામાંથી છૂટા કરાવી દેવા અને ઈનકમ ટેક્સ અને જીએસટીની રેડમાથી બચાવવા જેવી લાલચ આપીને 1.25 કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવ્યા હતા.

સમગ્ર કેસની ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચએ વડોદરાના ઠગબાજ હિતેશ ઠાકરની ધરપકડ કરી લીધી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોટા ખુલાસા થાય તેવી શકયતા રહેલી છે.

શા માટે IBનો અઘિકારી જ બનવાનું નક્કી કર્યું?

આ મહાઠગ હિતેશ ઠાકરએ IB ના ડેપ્યુટી ડાયરેક્ટર બનીને ફરિયાદી પાસેથી અલગ અલગ લાલચો આપીને 1.25 કરોડથી વધુની રકમ પડાવી હતી. હવે સવાલ એ થાય કે આ ઠગએ આઇબીનો જ નકલી અધિકારી બનવાનું કેમ પસંદ કર્યું. તો તેનું કારણ એ છે કે IB ના અઘિકારીની ઓળખ આપવાથી કોઈ તેની ઓફિસ વિશે કઈ તપાસ ન કરે, તેમનો કોઈ ખાસ ડ્રેસ કોડ ન હોય અને તેમને કોઈ ઓળખતું ન હોય. જેથી તેનો ખેલ છતો ન થાય.

અસલી IAS અધિકારી ન બની શક્યો તો નકલી બનવાનું નક્કી કર્યું

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલો ઠગ હિતેશ ઠાકર પોતાના યુવાનીના દિવસોમાં IAS ઓફિસર બનવા માગતો હતો. તે UPSC ની મેઈન્સ એક્ઝામ સુધી પણ પહોચ્યો હતો પરંતુ થોડા અંતર માટે તે પાસ ન થઈ શક્યો અને તેનું IAS ઓફિસર બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. ત્યારબાદ તે ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. પરંતુ ઓનલાઇન ક્લાસિસનો યુગ આવતા તેનો વ્યવસાય ભાંગી પડ્યો અને તેણે નકલી તો નકલી IAS ઓફિસર બની રૂપિયા બનાવવાનું નક્કી કર્યું.

પોતાના ભણતરના દિવસોમાં નાટકોમાં ખૂબ ભાગ લેતો આ ઠગ

આ ઠગ હિતેશ ઠાકર પોતાના શાળાના દિવસોમાં નાટકોમાં ખૂબ ભાગ લેતો હતો અને અલગ અલગ રોલ નિભાવતો હતો. ત્યારથી જ તેને એક્ટિંગ કરવામાં ફાવટ મેળવેલી છે. જેથી તેને IAS અધિકારીની એક્ટિંગ કરી રૂપિયા બનાવવાનું નક્કી કર્યું. તે પોતાના કામમાં ખૂબ જ ધીરજ રાખતો હતો. જેને ઠગવાના છે તેની સાથે પારિવારિક સંબંધો બનાવતો. પોતાને રૂપિયાની લાલચ છે તેઓ જરાપણ ખ્યાલ ન આવવા દેતો.

આટલું જ નહિ તેઓ જેને ઠગવાના છે તેના પરિવાર સાથે ફરવા પણ જતો હતો. આ ઉપરાંત જે કામ કરાવી આપવાની લાલચ આપી હોય તે કામ ન થાય તો ક્યારેક રૂપિયા પણ પરત કરી દેતો હતો. જેથી તેના પર ભોગ બનનારને સંપૂર્ણ વિશ્વાસ બેસે અને ત્યારબાદ તે તેમની પાસેથી મોટી રકમ પડાવી શકે.

આ પણ વાંચો: Rajkot: લાલપરી નદીમાંથી ટૂકડા થયેલા મૃતદેહની ઓળખ માટે પોલીસે ફાયરબ્રિગેડની મદદ લીધી

ફરિયાદીને કેવી રીતે ઠગાઇનો ખ્યાલ આવ્યો?

ફરિયાદના દોઢ મહિના પહેલા ઠગ હિતેશએ આપેલા કોર્ટોના લેટરોની જે તે કોર્ટની વેબસાઈટમાં ખરાઈ કરી હતી.આ ઉપરાંત ઠગએ જણાવેલ સમયમાં એક પણ કામ પૂર્ણ ન થયું હતું.ત્યારબાદ ખરાઈ કરતા જાણ થઈ હતી કે તેણે આપેલા લેટરો નકલી છે અને પોતે કોઈ IAS અધિકારી નથી. ક્રાઈમ બ્રાન્ચે આ ઠગની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">