Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ધોરાજીમાં રસ્તે ચાલવામાં પણ જીવનું જોખમ, મુખ્ય રસ્તાના ડિવાઈડરના થાંભલા પરથી લટકી રહ્યા છે જીવતા વીજતાર

Rajkot: ધોરાજીના મુખ્ય રસ્તાના ડિવાઈડર પરના થાંભલાના વીજતારના બોક્સ તૂટી જતા જીવતા વીજ તાર બહાર લટકી રહ્યા છે જેનાથી ગમે તેને શોક લાગી શકે છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે.

Gujarati Video: ધોરાજીમાં રસ્તે ચાલવામાં પણ જીવનું જોખમ, મુખ્ય રસ્તાના ડિવાઈડરના થાંભલા પરથી લટકી રહ્યા છે જીવતા વીજતાર
ખુ્લ્લા વીજ તાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 8:45 PM

ધોરાજીમાંથી પસાર થઈ રહ્યા હોય અને જો તમે સાચવશો નહીં તો રસ્તા પર જ તમને ઝટકો લાગી શકે છે. જી હાં, ધોરાજીના માર્ગો પર એક મોટી આફત તમને ગમે ત્યારે બાનમાં લઈ શકે છે અને મોટુ જોખમ નોતરી શકે છે. તેનું કારણ છે ધોરાજી નગરપાલિકાના અણઘડ વહીવટની ચાડી ખાતા ખુલ્લા વીજતાર. મુખ્ય રસ્તાના ડિવાઈડર પરના થાંભલાના વીજતારના બોક્સ તૂટી ગયા છે. તેમાંથી બહાર જીવતા તાર ડોકાઈ રહ્યા છે.

જાહેર રસ્તા પર લાગશે ઝટકો

આ માર્ગ પરથી દિવસરાત લોકોની ભારે અવરજવર રહે છે. રસ્તા પરથી પસાર થનારા કોઈપણ વ્યક્તિ જો ભૂલથી પણ આ જીવતા વીજતારના સંપર્કમાં આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી, પરંતુ નગરપાલિકાના સત્તાધિશોને જાણે લોકોના જીવની કંઈ પડી જ નથી.

તારનું ટેસ્ટરથી ચેકિંગ કરતા તેમા કરંટ આવતો દેખાયો

આ ખુલ્લા વીજતારમાં કરંટ છે કે નહીં તપાસતા ટેસ્ટરમાં તુરંત લાઈટ થઈ હતી. ત્યારે આ તારને કોઈ અડકી જાય તો શું જાય તે સમજી શકાય છે. આ તારને અડકી જનારાનો જીવ પણ જઈ શકે છે. કરંટ આવે છે કે નહીં તેના ચેકિંગ સમયે ટેસ્ટર અડાડતાની સાથે જ તેમાં લાઈટ થઈ, જે બતાવે છે કે આ ખુલ્લા વીજતારમાં કરંટ છે. આ તારના સંપર્કમાં આવનાર કોઈપણને શોક લાગી શકે છે.

Beetroot: દરરોજ બીટનો રસ પીવાના ફાયદા અને ગેરફાયદા શું છે?
રાતભર ચલાવો AC તો પણ વધારે નહીં આવે બિલ, આ ટ્રિકથી બચી જશે પૈસા
Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !

માણસો તો ઠીક છે સાચવીને જાળવીને ચાલે પરંતુ પ્રાણીઓનું શું? અબોલ જીવોને થોડી ખબર પડવાની છે કે આને અડકવાથી શોક લાગી શકે છે. આ બેદરકારી કોની તે હાલ મોટો સવાલ છે અને આ બેદરકારીથી કોઈના મોતનું પણ કારણ બની શકે છે. ત્યારે આ મુદ્દે આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચો: World Radio Day: મળો અમરેલીના એક એવા રેડિયોપ્રેમીને જેમની પાસે જુના-નવા મળી 200થી વધુ રેડિયોનો છે સંગ્રહ

કેમેરો જોઈને અધિકારીની બોલતી બંધ !

આ આક્ષેપોના જવાબ મેળવવા માટે TV9 ગુજરાતીની ટીમ જ્યારે નગરપાલિકાના અધિકારીઓને સવાલ કર્યો તો પહેલા અધિકારી કેમેરો જોઈને જ ડઘાઈ ગયા અને કેમેરો બંધ કરવાનુ કહેવા લાગ્યા. અધિકારી એટલા ગભરાઈ ગયા અને સમગ્ર મુદ્દે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા. આ મુદ્દે તેમણે કંઈપણ કહેવાનો નનૈયો ભણ્યો. આ ખુલ્લી જીવતા વીજતાર મુદ્દે અધિકારીએ તો મૌન સેવી લીધું, પણ સવાલ એ છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ ? કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની ? અને અધિકારી શા માટે જવાબદારીમાંથી છટકી રહ્યા છે ?

ઈનપુટ ક્રેડિટ- હુસેન કુરેશી-ધોરાજી

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">