AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરાજીમાં એસ.ટી. ડેપોની ખખડધજ હાલત, બસસ્ટેન્ડની છત પરથી પોપડા પડતા મુસાફરોના જીવને જોખમ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપોની હાલત દયનિય બની છે. જર્જરીત એસટી ડેપોમાં બસો પણ ખખડધજ બની છે. બસની સીટ, કાચ અને બોડી તૂટેલી હાલતમાં છે. બસ સ્ટેન્ડની છત પરથી પોપડા પડતા લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.

ધોરાજીમાં એસ.ટી.  ડેપોની ખખડધજ હાલત, બસસ્ટેન્ડની છત પરથી પોપડા પડતા મુસાફરોના જીવને જોખમ
ધોરાજી એસટી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 11:49 PM
Share

રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપોની બસોની ખખડધજ હાલત જોતા મુસાફરોમાં અસલામતીનો ભય રહે છે. જર્જરીત બસમાં જીવના જોખમે મુસાફરી કરવા લોકોને મજબૂર થવું પડે છે. બસની સીટ, કાચ અને બોડી તૂટેલી હાલતમાં છે. તો બીજી તરફ ધોરાજી બસ સ્ટેશનની હાલત પણ દયનિય છે, બસ સ્ટેન્ડની છત પરથી પોપડા પડી રહ્યા છે.

તો બીજી તરફ ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયાએ પણ સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે, એસટી બસોની હાલત અત્યંત ખરાબ છે અને છેલ્લા એક વર્ષમાં સરકારે ધોરાજી ડેપોને એકપણ નવી બસોની ફાળવણી કરી નથી. જેથી લોકો જીવના જોખમે ખખડધજ બસમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

આ તરફ ધોરાજી એસટી વિભાગના ડેપો મેનેજરે પણ સ્વીકાર્યું હતું કે, ડેપો પાસે કુલ 43 બસ છે. જેમાંથી કેટલીક બસ 10 લાખ કિમી ચાલી છે. પરંતુ ધોરાજી એસટી ડેપોને છેલ્લા એક વર્ષમાં એકપણ નવી બસ ન ફાળવતા જૂની બસને સ્ક્રેપમાં મોકલાઈ નથી.

તો બીજી તરફ ધોરાજીના રાધાનગર વિસ્તારમાં અમુક રોડ પર ડામર કામ કરાયું જ્યારે અમુકમાં જાણીજોઇને બાકી રખાતાં લોકો રોષે ભરાયા છે અને મહિલાઓએ આક્રમક સ્વરૂપ ધારણ કરી લેતાં ઘડીભર તો પાલિકા તંત્ર દોડતું થઇ ગયું હતું અને શો જવાબ આપવો તે નક્કી કરી શક્યું ન હતું. જો કે બાદમાં કચેરીએ દોડી આવેલી મહિલાઓને કામ કરી દેવાશે તેવી ખાતરી મળતાં મામલો થાળે પડ્યો હતો.

ધોરાજીના ઉપલેટા રોડ ઉપર આવેલા રાધા નગર વિસ્તારમાં બાકી રહેતા રોડ રસ્તાના કામો વહેલી તકે કરવા લતાવાસીઓએ માગણી ઉચ્ચારી હતી. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે ત્યારે ધોરાજીના રાધાનગર વિસ્તારમાં પણ ધોરાજી નગરપાલિકા દ્વારા નવા ડામર રોડ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarati Video : ધોરાજીમાં ડુંગળીના પાક પર કમોસમી વરસાદથી ખેડૂતોમાં નુકશાનની ભીતિ

જેમાં રાધાનગર વિસ્તારમાં બાકી રહેતા અમુક શેરીઓમાં હજુ સુધી ડામર રોડ થયા ન હોવાથી મહિલાઓએ એકઠા થઈ અને નગરપાલિકા દ્વારા વહેલી તકે રોડ રસ્તા થાય તે માટે માગણી ઉચ્ચારી અને પાલિકા ખાતે પણ રજૂઆત કરી હતી.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">