આજની ઇ-હરાજી : બેંક દ્વારા રાજકોટના અમરનગરમાં વિશાળ ઘરની કરવામાં આવશે હરાજી, જાણો શું છે વિગત

ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે. TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની ઓછી વસ્તુઓ ઓછા ભાવમાં તમને મળી શકે તેવી વિગતો લઇને આવી રહ્યુ છે.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : બેંક દ્વારા રાજકોટના અમરનગરમાં વિશાળ ઘરની કરવામાં આવશે હરાજી, જાણો શું છે વિગત
| Edited By: | Updated on: Oct 30, 2023 | 9:48 AM

રાજકોટ : ગુજરાતના રાજકોટના અમરનગરમાં કોટેક મહીન્દ્રા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીનીજાહેરાત આપવામાં આવી છે. અમરનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 2099.51 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- Bhavnagar Auction Today : ભાવનગરના તળાજામાં ઔદ્યોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 1,55,00,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 15,50,000 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 25,000 રુપિયા છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 22 નવેમ્બર 2023, બુધવારે બપોરે 3 કલાકની છે.તો ઇ-હરાજીની તારીખ 23 નવેમ્બર 2023, ગુરુવારે સવારે 11.30 કલાકથી બપોરે 4 કલાક સુધીની છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો