Rajkot : રાજવી પરિવારના મિલકતનો વિવાદ, સરકારી બાબુઓ પર ભ્રષ્ટાચારના આરોપો

ણશૂરવીરસિંહ જાડેજાએ સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રણસુરવીરસિંહે સીધો આરોપ લગાવ્યો છે કે, ડેપ્યુટી કલેક્ટર ડોબરીયા, એ.ટી.પટેલ અને સિદ્ધાર્થ ગઢવી નામના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને તેઓને હકથી વંચિત રાખ્યા હતા.

Rajkot : રાજવી પરિવારના મિલકતનો વિવાદ, સરકારી બાબુઓ પર ભ્રષ્ટાચારના આરોપો
Rajkot: Controversy over royal family property, allegations of corruption against government officials
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 7:12 AM

રાજકોટના રાજવી પરિવારના મિલકત વિવાદમાં હવે સરકારી બાબૂઓની સંડોવણીનો આરોપોનો દોર શરૂ થયો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રણસુરવીરસિંહે સીધો આરોપ લગાવ્યો છે કે, ડેપ્યુટી કલેક્ટર ડોબરીયા, એ.ટી.પટેલ અને સિદ્ધાર્થ ગઢવી નામના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને તેઓને હકથી વંચિત રાખ્યા હતા.

એટલું જ નહીં પરંતુ મામલતદાર કચેરીના કે. જે જાડેજાએ 2016માં 10 કરોડ માંગ્યાનો રણશૂરવીરસિંહે મોટો આરોપ લગાવ્યો. રણશૂરવીર સિંહનો દાવો છે કે રાજવી માંધાતાસિંહ સાથે અધિકારીઓની મિલીભગત હતી. અને રાજવી પરિવારની મિલકતમાં ભાગ ન મળે તે માટે કાવતરૂ રચાયું હતું.

તો પોતાના પર ગંભીર આરોપો લાગતા સિદ્ધાર્થ ગઢવી સામે આવ્યા. અને રણશૂરવીરસિંહે લગાવેલા તમામ આરોપોનો પાયાવિંહોણા ગણાવ્યા. સિદ્ધાર્થ ગઢવીએ દાવો કર્યો છે કે તેમની હયાતીમાં કેસનું હિયરિંગ જ થયું નથી તો ભ્રષ્ટાચારને કોઇ અવકાશ નથી. જોકે સિદ્ધાર્થ ગઢવીએ રણશૂરવીરસિંહ જાડેજા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.અને માનહાનીનો દાવો કરવાની તજવીજ હાથ ધરી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

શું લાગ્યા સરકારી અધિકારી પર આરોપો અને શું કહે છે સરકારી અધિકારી ?

સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવેઃ રણસુરવીરસિંહ અમે તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છીએઃ સિદ્ધાર્થ ગઢવી

અમારો કોર્ટ કેસ 2016થી અધિકારીઓ લટકાવી રાખ્યો છેઃ રણસુરવીરસિંહ મારા કાર્યકાળ દરમિયાન કોઇ હિયરિંગ નથી થયુંઃ સિદ્ધાર્થ ગઢવી

ડે.કલેક્ટર, એ.ટી.પટેલ, સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર આચર્યોઃ રણસુરવીરસિંહ મારા પર ભ્રષ્ટાચારના લાગેલા તમામ આરોપો પાયાવિંહોણાઃ સિદ્ધાર્થ ગઢવી

અમે અધિકારીઓને અનેકવાર અરજીઓ કરી, પણ ઉકેલ ન આવ્યોઃ રણસુરવીરસિંહ મારી પાસે માત્ર પ્રાંત કચેરીમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી આવી છેઃ સિદ્ધાર્થ ગઢવી

અમને સાંભળ્યા વગર જ એક તરફી દાવો ચલાવીને હુકમ કર્યોઃ રણસુરવીરસિંહ અમારી પાસે માત્ર કેસ ટ્રાન્સફર કરવાની અરજી આવી હતીઃ સિદ્ધાર્થ ગઢવી

અધિકારીઓએ 10 કરોડ રૂપિયાની લાંચ માગીઃ રણસુરવીરસિંહ હું મારી જ વાત કરી શકું, મારી મર્યાદા છે એટલે ન બોલી શકુઃ સિદ્ધાર્થ ગઢવી

રૂપિયા ન આપ્યા એટલે અધિકારીઓએ એક તરફી દાવો કર્યોઃ રણસુરવીરસિંહ આરોપો પાયાવિંહોણા, હું માનહાનીનો દાવો કરીશઃ સિદ્ધાર્થ ગઢવી

રાજવી પરિવાર પાસે 20 હજાર કરોડની મિલકત

રાજકોટના રાજવી પરિવારની મિલકતો પર નજર કરીએ તો રાજવી પરિવાર પાસે 20 હજાર કરોડ રૂપિયાની મિલકતો છે. જેમાં 500 કરોડનો રણજીત વિલાસ પેલેસ અને 400 કરોડની લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી છે.

તો જ્યુબિલી ચોકનું દેના બેંક હાઉસ, સરધારનો દરબારગઢ, બગીચો, જૂનો દરબારગઢ, રાંદરડા લેક ફાર્મ છે. તો પિંજારાવાડીની 6 એકર જમીન, કુવાડવા રોડ પરની 1214 ચોરસ મીટર જમીન અને 3 હજાર કરોડની માધાપર વીડીની 658 એકર જમીન સામેલ છે.

આ સિવાય મુંબઈમાં નરેન્દ્ર ભુવનમાં 11 ફ્લેટ અને જામનગર રોડ પરનું રેલવે ગોડાઉન સામેલ છે. જ્યારે ભોમેશ્વર મહાદેવ મંદિર અને આસપાસની 12 એકર જમીન, શ્રી આશાપુરા મંદિર અને ટ્રસ્ટ અને જમીન સામેલ છે.

આ ઉપરાંત શ્રી લાખાજીરાજ ડેરી ફાર્મની 9.26 ગુંઠા જમીન વડીલોપાર્જિત હીરા, ઝવેરાત અને આભૂષણો, ચાંદીની બગીઓ, 10 વિન્ટેજ કાર, એન્ટિક ફર્નિચર અને હથિયારો સામેલ છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">