Auction Today : પોરબંદર શહેરમાં જૂના દરબારગઢ પાછળ સ્થાવર મિલકતની ઇ -હરાજી, જાણો વિગતો
ગુજરાતના(Gujarat) પોરબંદરમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં પોરબંદર શહેરમાં જૂના દરબારગઢ પાછળ, બામા સાહેબ હવેલી તરીકે જાણીતી સ્થાવર મિલકતની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે
Porbandar : ગુજરાતના(Gujarat) પોરબંદરમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં પોરબંદર શહેરમાં જૂના દરબારગઢ પાછળ, બામા સાહેબ હવેલી તરીકે જાણીતી સ્થાવર મિલકતની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 49,20,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 4,92,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 06.06. 2023 ના રોજ 01.00 થી 3. 00 વાગે સુધી છે. જ્યારે ઇ- હરાજી 13.06.2023 સવારે 03.00 થી 5.00 વાગ્યે સુધી છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.
આ પણ વાંચો : Cyclone Biparjoy : ગુજરાતના દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ, વાવાઝોડાના પગલે NDRFની 12 ટીમ સજ્જ, જૂઓ Video