AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit : પાવાગઢ યાત્રાધામના વિકાસકાર્યોનું લોકાર્પણ, PM મોદીએ કહ્યું ‘પાંચ શતાબ્દી બાદ મહાકાળીના શિખર પર ધજા લહેરાઈ’

જન સંબોધનમાં વડાપ્રધાન મોદીએ(PM Modi) કહ્યું કે,પંચમહાલ અને ગુજરાતવાસીઓએ હંમેશા પાવાગઢ યાત્રાધામને વિકસાવવા માટે પ્રયત્નો કર્યા છે અને આજે તે સપનું પુર્ણ થયુ છે.

PM Modi Gujarat Visit : પાવાગઢ યાત્રાધામના વિકાસકાર્યોનું લોકાર્પણ, PM મોદીએ કહ્યું 'પાંચ શતાબ્દી બાદ મહાકાળીના શિખર પર ધજા લહેરાઈ'
PM Modi Gujarat Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 1:18 PM
Share

પાવાગઢ(Pavagadh)  પર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ધ્વજારોહણ કરવા પહોંચેલા પીએમ મોદીએ(PM Modi)  કહ્યું કે, આજની ક્ષણ અંતર મનને વિશેષ આનંદથી ભરી દે છે. 5 શતાબ્દી સુધી મા કાલીના શિખર પર ધજા નહોતી લહેરાઈ.આજે મા કાલીના શિખર પર ધજા ફરકી રહી છે. શક્તિ ક્યારેય લુપ્ત નથી થતી. જ્યારે શ્રદ્ધા, સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે ત્યારે શક્તિ પોતાના પૂર્ણ વૈભવ સાથે પ્રગટ થાય છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી સવારે માતા હીરાબાના (HEERA BA) આશિષ મેળવીને સીધા જ પાવાગઢ પહોંચ્યા હતા.જ્યાં તેમણે મહાકાળી માતાના(Mahakali Mata) દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી અને ધ્વજારોહણ કર્યું.

વર્ષો પછી પાવાગઢ આવવાનો અવસર મળ્યો

સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પંચમહાલ અને ગુજરાતવાસીઓએ હંમેશા પાવાગઢ યાત્રાધામને વિકસાવવા માટે પ્રયત્નો કર્યા છે અને આજે તે સપનું પુર્ણ થયુ છે.વધુમાં તેમણે કહ્યું કે, વર્ષો પછી પાવાગઢ આવવાનો અવસર મળ્યો.

માતા મહાકાળીએ આજે આપણને સૌથી મોટો ઉપહાર આપ્યો

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,પહેલાના સમયમાં લગ્નની કંકોતરી માતા મહાકાળીના ચરણોમાં રાખવામાં આવતી હતી.તેમજ એ સમયે પુજારી પણ રાત્રી આરતી દરમિયાન આ નિમંત્રક પત્રિકા મા મહાકાળીને ભક્તિભાવથી સંભળાવતા હતા.બાદમાં આશીર્વાદના રૂપમાં અહીંયાથી ભેટ પણ મોકલવામાં આવતી હતી. આ પ્રથા વર્ષોથી ચાલી રહી છે,પરંતુ આજે મા મહાકાળીએ આપણને સૌથી મોટો ઉપહાર આપ્યો છે.

પાવાગઢની ધજા ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવનું સીમાચિન્હ

ઉપરાંત PM મોદીએ જણાવ્યું કે,ભારતની આઝાદીની  લડાઈ સરદાર પટેલની(Sardar patel)  આગેવાનીમાં જ શરૂ થઈ હતી.તેમજ આઝાદી સાથે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આજે લહેરાઈ રહેલી પાવાગઢની ધજા માત્ર પાવાગઢની નહીં, પરંતુ ગુજરાત અને દેશના સાંસ્કૃતિક ગૌરવનું સીમાચિન્હ છે.

Follow Us
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
g clip-path="url(#clip0_868_265)">