AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal : પાવાગઢમાં માચી નજીક ઘટેલી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ, FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે

પાવાગઢ (Pavagadh) પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરશે. તો માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાશે.

Panchmahal : પાવાગઢમાં માચી નજીક ઘટેલી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ, FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 12:33 PM
Share

યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) માચી નજીક ઘટેલી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગઇકાલે માચીમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડતા એકનું મોત થયુ હતુ અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે પાવાગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરશે. તો માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાશે.

આ પણ વાંચો- Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા

સમગ્ર ઘટના મામલે જે ઢાંચો ધરાશાયી થયો હતો. તે પથ્થરના સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે. ઘટના સ્થળને બેરીકેટિંગ પર પ્રવેશબંધી કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો ટુંક સમયમાં જ રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને સોંપાશે. અન્ય નવા બનાવવામાં આવેલા તમામ સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે 4 મેના રોજ માચી નજીક ઘુમ્મટ નીચે પડતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા હતા. દુર્ઘટના બાદ સરકારે કલેક્ટરને સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

વરસાદી વાતાવરણમાં બની હતી દુર્ઘટના

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ટળી છે. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે દસથી વધુ યાત્રિકો દબાયા હતા.  આ ઘટનામાં એકનું મોત થયુ છે. તો અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થયો છે. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. તો ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તોની ખબર અંતર પુછ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્ટર સહિત ધારાસભ્યએ લોકોને અફવાઓમાં ન આવવા અપીલ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">