AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા

Mehsana: વીજાપુરમાં કોપી કેસ ન કરવા કોલેજે યુનિવર્સિટીના 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા છે. મહેસાણાની વિજાપુરની સ્વામીનારાયણ કોલેજની ખુલ્લી મનમાની સામે આવી છે. કોલેજના સત્તાધિશોએ નિરીક્ષકોને ઘરે ન જવા દેવાની ધમકી આપી હતી.

Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 11:46 AM
Share

મહેસાણાના વિજાપુરની સ્વામીનારાયણ સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની સામે આવી છે. વીજાપુરમાં કોપી કેસ ન કરવા કોલેજે યુનિવર્સિટીના 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા હોવાનુ સામે આવ્યુ છે. કોલેજના સત્તાધિશોએ નિરીક્ષકોને ઘરે ન જવા દેવાની ધમકી આપી હતી. ત્રણેય પ્રોફેસરે સુરક્ષા માટે યુનિવર્સિટીનો સંપર્ક કર્યો અને યુનિવર્સિટીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

MSC સેમેસ્ટર 4ની પ્રેકટિકલ પરીક્ષા ચોરીના કેસ સામે આવ્યા

ત્રણેય નિરીક્ષકોની ટીમ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે સ્વામીનારાયણ કોલેજમાં પરીક્ષા લેવા ગઈ હતી. M.sc. સેમેસ્ટર 4ના 45 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા ત્રણ નિરીક્ષકોની ટીમ કોલેજ પહોંચી હતી. પરંતુ પરીક્ષામાં 11 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. આ મુદ્દે કોલેજનું વલણ બદલાયુ હતુ. પોલીસે જાણ કરાયા બાદ કોલેજની ગાડીમાં ત્રણેય નિરીક્ષકોને મહેસાણા છોડવામાં આવ્યા હતા

11 વિદ્યાર્થીઓ કાપલીમાંથી ચોરી કરતા પકડાયા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજાપુર સ્વામીનારાયણ સાયન્સ કોલેજ ખાતે MSC સેમેસ્ટર 4ના 45 વિદ્યાર્થીઓની પ્રેકટિકલ પરીક્ષા લેવા યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરની ટીમ પરીક્ષક તરીકે આવ્યા હતા. 3 અને 4 મે એ આ પ્રેકટિકલ પરીક્ષા હત. જેમા પ્રથમ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ કાપલી લઈને ચોરી કરતા દેખાયા હતા. જેમા ટીમે કંઈપણ સાહિત્ય હોય ત બહાર મુકી દેવા અપીલ કરી હતી. છતા ચાર પાંચ વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાથી તેમની કાપલી લઈ લેવામાં આવી હતી. અનેક સૂચના બાદ પણ 11 છાત્રો ચોરી કરતા પકડાયા હતા. જેમા કોલેજ દ્વારા આ વિદ્યાર્થીઓ સામે કેસ ન કરા માટે દબાણ કરવામાં આવ્યા હતા.

મહિલા પ્રોફેસરને કોલેજ સત્તાધિશોએ ઉંચા અવાજમાં ખખડાવ્યા

નિરીક્ષક તરીકે આવેલા મહિલા પ્રોફેસરના જણાવ્યા મુજબ તેઓ મહિલા હોવા છતા તેમને ઉંચા અવાજમાં ખખડાવ્યા હતા અને કેસ ન કરવા દબાણ કરી રહ્યા હતા. નિરીક્ષકોને ધમકી પણ આપવામાં આવી કે વાલીઓ ગાડી ભરીને આવે છે જે પૈકી એક વિદ્યાર્થીના વાલી PSI છે એ કેસ કરશે હવે તમે શું કરશો? એવુ કહી નિરીક્ષકોને દબડાવવામાં આવ્યા. કોલેજ સત્તાધિશો દ્વારા ધમકી અપાઈ કે વાલીઓ ગાડીઓ ભરીને આવે છે તમને કોલેજની બહાર નીકળવા નહીં દે. જેલ ભેગા કરવાના છે.

આ પણ વાંચો: Mehsana: ફાર્મસી કોલેજમાં ભણતી તિતિક્ષાના હત્યારા પ્રવિણ ગાવિતની થઈ ધરપકડ, પરિવારજનોએ ઇન્સ્ટિટયૂટ પર ઉઠાવ્યા સવાલો

જો કે નિરીક્ષકોએ કોલેજમાંથી સલામત રીતે બહાર નીકળવા યુનિવર્સિટીને જાણ કરી હતી. ત્યારબાદ ચેરમેન રજિસ્ટ્રાર કુલપતિ સહિતના સ્ટાફે તાત્કાલિક મદદ પહોંચાડી હતી. પહેલીવાર જીવનમાં આવો કડવો અનુભવ થયો હતો. કોઈ બીજા પ્રોફેસરને આવો અનુભવ ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા કડક પગલા લેવા જોઈએ.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">