ભાદ્ર માસની શિવરાત્રિએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં લઘુરૂદ્ર યજ્ઞ, જ્યોતપૂજન અને મહાપૂજા આરતી કરાઈ- જુઓ તસવીરો

|

Oct 01, 2024 | 2:38 PM

ભાદ્ર માસની શિવરાત્રીની મધ્યરાત્રી ના સોમનાથ મંદિર ખાતે ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. સોમનાથ મંદિરમાં લઘુરુદ્રયજ્ઞ, જ્યોતપુજન અને મહાપૂજા આરતી કરવામાં આવ્યા હતા. મધ્ય રાત્રિએ મહાઆરતીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

1 / 7
સોમનાથમાં ભાદ્ર કૃષ્ણ તેરસ અને સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રીનું એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પધારે છે.

સોમનાથમાં ભાદ્ર કૃષ્ણ તેરસ અને સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રીનું એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પધારે છે.

2 / 7
પવિત્ર ભાદ્ર માસની માસિક શિવરાત્રિ પર પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રિ પર સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

પવિત્ર ભાદ્ર માસની માસિક શિવરાત્રિ પર પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રિ પર સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

3 / 7
આ સાથે  સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે.

આ સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે.

4 / 7
આજે ભાદ્ર માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

આજે ભાદ્ર માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

5 / 7
સાથે જ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા.

સાથે જ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા.

6 / 7
પૂજનના અંતે સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી જે સામગ્રી દ્વારા મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.

પૂજનના અંતે સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી જે સામગ્રી દ્વારા મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.

7 / 7
માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. "હરહર મહાદેવ, જય સોમનાથ"ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath

માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. "હરહર મહાદેવ, જય સોમનાથ"ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath

Published On - 2:37 pm, Tue, 1 October 24

Next Photo Gallery