Monsoon 2024 : ફરી વખત પૂરના પાણીમાં ડૂબ્યું નવસારી ! ગણદેવીના અનેક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર, જુઓ Video

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. નવસારીમાં કુલ 1573 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુવા માટે ધાબળા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

Monsoon 2024 : ફરી વખત પૂરના પાણીમાં ડૂબ્યું નવસારી ! ગણદેવીના અનેક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર, જુઓ Video
Follow Us:
| Updated on: Aug 26, 2024 | 6:12 PM

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે.

છેલ્લા બે દિવસથી સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતા નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો
Weight Loss : વજન ઘટાડતી વખતે દેશી ઘી ખાવું જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 13-09-2024
બાળકોમાં વિટામિન B12 ની ઉણપના લક્ષણો શું છે?
દર બે દિવસમાં એક વાર દારૂ પીઓ તો શું થાય ? જાણી લો ચોંકાવનારી વાત
ઘરે ગણતરીની મિનીટમાં જ બનાવો સ્વાદિષ્ટ પેંડા

બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

આજરોજ ગણદેવી તાલુકાના બિલિમોરા નગર પાલીકા વિસ્તારના કુલ-776 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બીલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. સ્થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુવા માટે ધાબળા, ચાદર, ગાદલા સહિત ચા-નાસ્તો, ભોજન, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે.

ગણદેવીમાં 195 નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર ખસેડાયા

ગણદેવી તાલુકાના ઉંડાચ વા.ફ., દેવધા, તોરણગામ, ઉંડાચ લુ.ફ., ભાઠા, બીલીમોરા નગર પાલીકા, તલીયારા, સરીખુર્દ, વાધરેચના લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જેમાંથી 195 નાગરિકો હાલ આશ્ર્યસ્થાન ઉપર અને અન્ય નાગરિકો પોતાના સગાસંબંધિ તથા અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ આશ્ર્યસ્થાન ઉપર નાગરિકો માટે અંદાજીત ફુડ પેકેટની વ્યવસ્થા વિવિધ ગ્રામ પંચાયત, જલારામ માનવ સેવા ટ્રસ્ટ-બીલીમોરા, ગણદેવી નગરપાલીકા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને કારણે શહેરના ઠક્કર બાપા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી પ્રવેશતા ગણપતિ દાદાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, ઠક્કર બાપા વિસ્તારના ગણપતિ મંડપમાં પાણી આવતા ગણેશ ભક્તોએ ગણપતિદાદાને સુરક્ષિત સ્થળે ખસેડ્યા.

નવસારી શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારો…

  • ભેંસત ખાડા,
  • રીંગરોડ,
  • મીથીલા નગરી,
  • રંગુન નગર,
  • કાશીવાડી,
  • કાલીયાવાડી,
  • કાછીયાવાડી,
  • કમેલા રોડ,
  • ગધેવાન વિસ્તાર,

નવસારી જિલ્લામાં વરસી રહેલ અનરાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં કામગીરી કરી રહ્યું છે ત્યારે આજરોજ નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં પાણીના સ્તરમાં સતત વધારો થતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની ફરજ પડી હતી. નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાના ફાયર સ્ટેશનના કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે ગણદેવી તાલુકાના બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ દેસરા કુંભારવાડમાં 20 વ્યક્તિઓ ફ્સાઇ જતાં બીલીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે.

  • નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેકટરે આપી માહિતી
  • નવસારીમાં કુલ 1573 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
  • ગણદેવી તાલુકાના સાલેજ ગામમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની પુષ્ટિ
  • પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ સુધી જવાની સંભાવના
  • આવતીકાલે મંગળવારે બપોર સુધી પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ સુધી પહોંચશે
  • અંબિકા નદીની સપાટીમાં પણ વધારો થવાની સંભાવના
  • ગણદેવી તાલુકામાંથી 29 લોકોનું કરવામાં આવ્યું.
  • આવતીકાલે બપોર સુધી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રની અપીલ

(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત, નવસારી)

અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">