નવસારીના દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી, સાત ગામના લોકો પર તોળાયુ સંકટ !

ચોમાસામાં(Monsoon) આ સાત ગામના લોકો સ્થાળાંતર કરવા મજબૂર બને છે. ત્યારે ચોમાસામાં આ ગામનું ધોવાણ ન થાય તે માટે વહેલી તકે સરકાર કોઈ પગલાં લે તેવી માગ ઉઠી છે.

નવસારીના દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી, સાત ગામના લોકો પર તોળાયુ સંકટ !
દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 1:48 PM

નવસારીના(Navsari)  52 કિલોમીટરના દરિયાકિનારા પર મોટી ભરતીની આગાહી કરાઈ છે. દરિયા કિનારાના (ocean) સંરક્ષણ માટે 90 કરોડ રૂપિયાના ખર્ચે સંરક્ષણ દીવાલ પણ બનાવાઈ છે. જોકે, હજુ પણ દરિયા કિનારે વસેલા મેંધર, ભાટ, ઓંજલ, માછીવાડ, દાંડી, બોરસી, ઉભરાટ અને દિપલા આ 7 ગામ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથી રહ્યા છે. ચોમાસામાં(Monsoon) આ સાત ગામના લોકો સ્થાળાંતર કરવા મજબૂર બને છે. ત્યારે ચોમાસામાં આ ગામનું ધોવાણ ન થાય તે માટે વહેલી તકે સરકાર કોઈ પગલાં લે તેવી માગ ઉઠી છે.

વરસાદમાં લોકોના જીવ અદ્ધર

મોટી ભરતી સમયે દર વર્ષે દરિયામાં 20ફૂટ ઉંચા મોજા ઉછળે છે અને પાણી ગામમાં ઘૂસતા લોકોના જીવ અદ્ધર કરી દે છે.દરિયાનું પાણી ગામની કબરો પર ફરી વળતા દરિયા કિનારાઈ કબરોનું પણ ધોવાણ થયું છે. આ અંગે ગામલોકોએ ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે,પરંતુ આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.બીજી તરફ શાસક પક્ષના નેતા દાવો કરી રહ્યા છે કે, પ્રોટેક્શન વોલ માટે મંજૂરી મળી ગઈ છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ(IMD) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયા વરસાદની આગાહી(Rain Forecast) કરવામાં આવી છે.આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે.જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ (valsad) અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થશે.તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) રાજકોટ, અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા મળશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

વરસાદને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણેઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી,પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ થવાની સંભાવના છે.ઉપરાંત આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં (Ahmedabad) છૂટોછવાયો વરસાદ રહેશે.ભારે વરસાદને પગલે માછીમારોને (Fishermen)દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">