AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખોડલધામથી ભાજપનો રાજકીય સંદેશ ! નરેશ પટેલ-જયેશ રાદડિયાને બાથ ભીડીને એકબીજાને ગળે લગાડતા જીતુ વાઘાણી

ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઊભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ, પાટીદાર આગેવાનોએ એક મંચ પર આવીને આપ્યો છે.

ખોડલધામથી ભાજપનો રાજકીય સંદેશ ! નરેશ પટેલ-જયેશ રાદડિયાને બાથ ભીડીને એકબીજાને ગળે લગાડતા જીતુ વાઘાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2025 | 12:25 PM
Share

ગુજરાતમાં ભાજપે 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટીને કારણે, ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડનારી અસર ખાળવા માટેની કવાયત આદરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો, પાટીદાર પ્રધાનો, ધારાસભ્યો, પાટીદાર પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઊભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ, પાટીદાર આગેવાનોએ એક મંચ પર આવીને આપ્યો છે.

સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે એક વાત એવી ચર્ચાઈ રહી છે કે, ખોડલધામના નરેશ પટેલ અને શક્તિશાળી પાટીદાર નેતા જયેશ રાદડિયા છેલ્લા ઘણા સમયથી સામસામી ઘરી પર બેઠા છે. બન્ને પાટીદાર આગેવાનો વચ્ચે કોઈ મુદ્દે ભારે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાના સમાચાર અવારનવાર માધ્યમોમાં ચમકી રહ્યાં હતા. આવા સંજોગોમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા આજે એક મંચ પર ભેગા થયા હતા.

આ સમયે બન્નેએ હાથમાં હાથ મિલાવીને બન્ને એક હોવાનો સંદેશ લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાતના શિક્ષણ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ, નરેશ પટેલ અને જયેશ રાદડીયાને બાથ ભીડીને ગળે લગાડયા હતા. આમ કરીને એક એવો સંદેશ વહેતો કરવાનો પ્રયાસ કર્યો હતો કે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મનદુખ કે ગજગ્રાહ નથી, કે નથી સામસામી ધરી પર. આ સ્પષ્ટ સંદેશ માત્ર પાટીદારને જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય રાજકીય પક્ષને પણ હોવાનું રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">