Breaking News : મહેસાણાના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત, 4 લોકો હજુ દટાયેલા

|

Oct 12, 2024 | 2:21 PM

મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

Breaking News : મહેસાણાના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત, 4 લોકો હજુ દટાયેલા

Follow us on

મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

વહીવટી તંત્રએ દટાયેલાઓને બહાર કાઢવા શરુ કરી કામગીરી

મહેસાણાના જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે. દિવાલ પડતા પાંચ શ્રમિકના મોત થયા છે. તો અન્ય દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી

ખોદકામ કે બાંધકામ દરમિયાન દુર્ઘટના બની હોવાની માહિતી

પ્રાથમિક માહિતી મુજબ કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા.5 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મોતનો આંકડો વધવાની સંભાવના

આ ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઇ રહી છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ સ્થળ પર જ હાજર છે. રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમ પણ સતત કામ કરી રહી છે.

 

Published On - 1:54 pm, Sat, 12 October 24

Next Article