Mehsana : પાણીની પારાયણ, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમના તળીયા દેખાયા

ધરોઇ ડેમમાંથી મહેસાણા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પીવાનું અને સિંચાઇ માટે પાણી પુરૂ પડાય છે.ત્યારે ડેમની જળસપાટી ઘટતા ઉત્તર ગુજરાતના માથે પાણીનું સંકટ સર્જાઇ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:01 PM

Mehsana : ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ તળીયાઝાટક થયો છે. વરસાદ ખેંચાતા ડેમમાં સતત પાણીનો ઘટાડો થઇ રહ્યો છે. હાલ ધરોઇ ડેમમાં માત્ર 34 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે ઉપયોગમાં લઇ શકાય તેટલો 14.3 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. તો ઉત્તર ગુજરાતના અન્ય 15 ડેમોમાં પણ 24.35 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે આ સમયે ધરોઇ ડેમની સપાટી 604 ફૂટ હતી. અને ચાલુ વર્ષે ધરોઇ ડેમની જળસપાટી 600 ફૂટે પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે ધરોઇ ડેમમાંથી મહેસાણા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પીવાનું અને સિંચાઇ માટે પાણી પુરૂ પડાય છે.ત્યારે ડેમની જળસપાટી ઘટતા ઉત્તર ગુજરાતના માથે પાણીનું સંકટ સર્જાઇ શકે છે.ચિંતાનો વિષય એટલા માટે પણ છે કે,ધરોઇ ડેમનું મુખ્ય જળસ્ત્રાવ ક્ષેત્ર રાજસ્થાન છે.જો રાજસ્થાનમાં વરસાદ પડે તો જ ધરોઇ ડેમમાં પાણી આવે.ત્યારે હાલ રાજસ્થાનમાં પણ વરસાદની ખેંચ છે.સિંચાઇ વિભાગના અધિકારીઓનો દાવો છે કે હાલ પીવાના પાણીની કોઇ જ સમસ્યા નથી. પરંતુ જો વરસાદ ખેંચાય તો સિંચાઇ માટેનો પુરવઠો બંધ કરવાની નોબત આવી શકે છે.

 

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">