ખાણીપીણીની લારી પર ભીડ જમાવતાં સુરતીઓને ભારે પડશે ચટાકો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર મેળાવડો જમાવતા લોકો બની શકે છે સુપરસ્પ્રેડર

સુરતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. એવી ધારણા હતી કે સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના કેસો પર કાબુ મેળવી લેવામાં આવશે પણ તેનાથી ઉલટો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે અથવા દિવસે ભરાતા જાહેર સ્થળ પરની ભીડ અને બજારો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં સુરતીઓ સુધરવાનું નામ નથી […]

ખાણીપીણીની લારી પર ભીડ જમાવતાં સુરતીઓને ભારે પડશે ચટાકો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર મેળાવડો જમાવતા લોકો બની શકે છે સુપરસ્પ્રેડર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 01, 2020 | 1:20 PM

સુરતમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. એવી ધારણા હતી કે સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના કેસો પર કાબુ મેળવી લેવામાં આવશે પણ તેનાથી ઉલટો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રે અથવા દિવસે ભરાતા જાહેર સ્થળ પરની ભીડ અને બજારો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં સુરતીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને આ જ કારણ છે કે મનપાના લાખ પ્રયત્ન છતાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો.

તાજેતરમાં જ અલથાન વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ ખાણીપીણીની લારી પર લોકોની ભીડના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. જેમાં લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ વગર ખાદ્યપદાર્થો લેવા ભીડ કરતા દેખાઈ રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એકતરફ પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકોની ભીડ ભેગી થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યાં તમામ પ્રકારના જાહેરનામા અને ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવા દશ્યો પણ સામે આવી રહ્યા છે. જોકે સ્વાદનો આ ચટાકો સુરતીઓને જ ભારે પડી શકે તેમ છે. જો શહેરીજનો બેદરકારી દાખવશે તો અમદાવાદની જેમ જ રાત્રે દુકાનો બંધ કરવાનો વખત આવશે.

નોંધનીય છે કે શહેર જિલ્લામાં હાલ કોરોનાના કેસોની સંખ્યા 29169 પર પહોંચી છે. તે જ રીતે મૃત્યુઆંક 927 થઈ ગયો છે. શહેર જિલ્લામાં 25,712 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">