AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : RSSના વડા મોહન ભાગવત ફરી આવશે ગુજરાત, ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

kutch news : RSS વડા મોહન ભાગવતે 15 એપ્રિલે ગુજરાતમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે હવે RSSના વડા મોહન ભાગવત ભૂજમાં સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ધર્મ સભાને સંબોધન કરવાના છે.

Kutch : RSSના વડા મોહન ભાગવત ફરી આવશે ગુજરાત, ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 12:29 PM
Share

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપવાના છે. મોહન ભાગવત તારીખ 22 એપ્રિલ શનિવારના બપોર પછી મહોત્સવ હાજરી આપશે. તેઓ યજ્ઞ શાળા દર્શન, ગૌ મહિમા દર્શન પ્રદર્શની, પ્રાકૃતિક ખેતીના પ્રયોગ અને સાંસ્કૃતિક પ્રદર્શનની મુલાકાત લેશે.

આ પણ વાંચો-Gujarati Video: ગીરસોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો આજથી પ્રારંભ, વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો ગુજરાત આવતા જ બન્યા ભાવવિભોર

વિશાળ ધર્મસભાને સંબોધશે મોહન ભાગવત

2024ની લોકસભા ચૂંટણી પહેલા RSSએ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. RSS વડા મોહન ભાગવતે 15 એપ્રિલે ગુજરાતમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે હવે RSSના વડા મોહન ભાગવત ભૂજમાં સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ધર્મ સભાને સંબોધન કરવાના છે.

અમદાવાદમાં 15 હજાર સ્વયં સેવકોને કર્યુ સંબોધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે 15 એપ્રિલે અમદાવાદના વસ્ત્રાપુરના GMDC ગ્રાઉન્ડમાં આયોજીત સમાજ શક્તિ સંગમમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધીત કર્યા હતા.આ પ્રસંગે સંઘના વડાએ કહ્યુ હતુ કે, સમાજના ભેદને દૂર કરવા પડશે અને સામાજિક સમરસતા લાવવી જરૂરી છે. તેમણે કહ્યુ કે,પરસ્પરના મતભેદ ભૂલી દેશ માટે એક થવુ પડશે.

મોહન ભાગવતે રાજકીય, સામાજિક અને વર્તમાન વિષયો પર સ્વયંસેવકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આપણે સૌ હિંદુ એટલે કે ભારતીય છે..ભાગવતે કહ્યુ કે કોઈપણ એક વ્યક્તિ, પાર્ટી કે અવતાર દેશને મોટો નથી કરી શકતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં રહ્યા હાજર

અમદાવાદના આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મોહન ભાગવતે 8 વર્ષ બાદ ગુજરાતમાં જાહેર મંચ પરથી સંબોધન કર્યુ હતુ. આ પૂર્વે 2015માં ગુજરાતમાં વિશાળ જનસભાને મોહન ભાગવતે સંબોધન કર્યું હતું.મોહન ભાગવત શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં એક બુક લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજીત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ મોહન ભાગવતે કર્યુ હતુ. આ પુસ્તકો સમાજ અને રાષ્ટ્ર ચેતના પર લખાયેલા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">