AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢના રાધા દામોદર મંદિરમાં હોળી પહેલા રાળ મનોરથનું કરાયુ આયોજન, દર્શન માટે ઉમટ્યા કૃષ્ણપ્રેમીઓ- Video

જુનાગઢમાં ધૂળેટીના મનોરથ ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દામોદર કુંડ ખાતે આવેલા રાધા દામોદર મંદિરમાં રાળ મનોરથ ઉજવાય છે. જેમા વૈશ્ણવો અને કૃષ્ણપ્રેમીઓ મોટી સંખ્યામમાં દર્શન માટે ઉમટી પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2026 | 4:15 PM
Share

દેશભરમાં હોળીની અલગ અલગ પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે હોળી રમ્યા હોવાનો ઉલ્લેખ મળી આવે છે. આથી જ ધૂળેટીના પર્વે કૃષ્ણમંદિરોમાં ભક્તોની ભીડ જામે છે. ત્યારે જુનાગઢમાં દામોદર કુંડ સ્થિત આવેલા રાધા દામોદર મંદિરમાં હોળી પહેલા રાળ મનોરથનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણી પાછળ એવી માન્યતા રહેલી છે કે કૃષ્ણ ગોકુળ છોડીને જ્યારે મથુરા ચાલ્યા ગયા ત્યારે તેમના વિરહમાં રાધા અને ગોપીઓ માટે રંગોની હોળી રમવી અશક્ય હતી. કૃષ્ણના વિરહની વેદનામાં રાધા અને ગોપીઓ ધૂળેટી કેમ રમવી તે બતાવવા માટે મશાલ પર રાળથી અગ્નિના ભડકા કરવામાં આવે છે. આ સમયે ગોપીઓ કહે છે કે કૃષ્ણ વગરની ધૂળેટી રમવી અશક્ય છે, આ આગ અમારા હ્રદયની છે. તેવો ભાવ પ્રગટ કરે છે અને કૃષ્ણના વિરહની વેદના રજૂ કરે છે.

જુનાગઢમાં ઉજવાતા રાળ મનોરથનું દ્વ્ય દામોદર કુંડ ખાતે તૈયાર કરવામાં આવે છે અને તેમા ઔશધિઓ પણ ઉમેરવામં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે. દામોદર કુંડ ખાતે રાળ મનોરથમાં અગ્નિના દર્શન કર્યા બાદ અબીલ ગુલાલની છોળો ઉડાડી ભગવાન સાથે ધૂળેટી રમવાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. આ મનોરથમાં આવનારા શ્રદ્ધાળુઓને ખજૂર, દાળિયાની પ્રસાદી આપવામાં આવે છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

ફરી એકસાથે દેખાયા સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, 13 દિવસમાં બીજી મુલાકાત- Video

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
g clip-path="url(#clip0_868_265)">