Jamnagarના ડેમને સૌની યૌજનાથી કરાયો લીંકઅપ, શહેરમાં પીવાના પાણીની સમસ્યાનો આવ્યો ઉકેલ

|

Sep 25, 2022 | 9:57 AM

જામનગરમાં (Jamnagar) શહેરમાં જે ડેમમાંથી પીવાનુ પાણી મળે છે તે તમામ ભરાઇ ગયા છે. જેનાથી હવે આખા વર્ષ દરમિયાન પાણી વિતરણની સમસ્યા નહી થાય. તેમજ સૌની યોજના હેઠળ ડેમ લીંકઅપ થતા પીવાના પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવ્યો છે.

Jamnagarના ડેમને સૌની યૌજનાથી કરાયો લીંકઅપ, શહેરમાં પીવાના પાણીની સમસ્યાનો આવ્યો ઉકેલ
જામનગરનો રણજીતસાગર ડેમ છલકાયો

Follow us on

ગુજરાતમાં ચોમાસુ (Gujarat Monsoon) ક્રમશ: વિદાય લઈ રહ્યુ છે. જામનગરમાં (Jamnagar) ઘણા દિવસથી જિલ્લામાં આકરો તડકો અનુભવાઈ રહ્યો છે. જો કે આ સ્થિતિ વચ્ચે પણ જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ (Ranjitsagar Dam) છલકાઈ ગયો છે. ઉંડ અને સસોઈ ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો સંગ્રહિત થયો છે તો જામનગરના ડેમમાં પાણીની સારી એવી આવકના પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને આશા છે કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીના પ્રશ્નનો અંત આવશે અને આ વર્ષે લોકોને પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય.

રણજીતસાગર ડેમ સૌની યોજનાથી લીંકઅપ કરાયો

જામનગરમાં શહેરમાં જે ડેમમાંથી પીવાનું પાણી મળે છે તે તમામ ભરાઈ ગયા છે. જેનાથી હવે આખા વર્ષ દરમિયાન પાણી વિતરણની સમસ્યા નહીં થાય. તેમજ સૌની યોજના હેઠળ ડેમ લીંકઅપ થતા પીવાના પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવ્યો છે. અગાઉ જામનગરમાં પુરતો વરસાદ ના થતા ડેમ પૂર્ણ રીતે ભરાયા ના હતા. જામનગર શહેરને પીવાનું પાણી પાડતો રણજીતસાગર ડેમ વરસાદી પાણીથી 25 ટકા ભરાયો હતો. બાદમાં સૌની યોજનાથી લીંકઅપ થતા 27 ફુટ સુધી ભરીને તેને ઓવરફલો કરવામાં આવ્યો. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમમાં પુરતુ પાણી હોવાથી એક વર્ષ સુધી નિયમિત પાણી વિતરણ થશે.

જામનગરવાસીઓની પાણીની સમસ્યા થઈ દૂર

જામનગર શહેરને દૈનિક 110 એમએલડી પાણીની જરૂરીયાત છે. જે રણજીતસાગર, ઉંડ અને સસોઈ ડેમમાં મેળવવામાં આવે છે. જ્યારે વરસાદ ના થાય કે અપુરતો થાય તો પીવાના પાણીની સમસ્યા થતી. પરંતુ હવે સૌની યૌજનાથી ડેમ લીંકઅપ થતા જરૂરીયાત મુજબ પુરતુ પાણી મળી રહેશે. જામનગર શહેરમાં હવે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ થયો છે. પાણીની સમસ્યાનો ઉકેલ આવતા શહેરીજનોએ ખુશી વ્યકત કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચોમાસાની વિદાય

હવે ગુજરાતમાં વરસાદ નહીં પડે. 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઈ ગઈ છે. પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે.

Next Article