Jamnagar: પશુઓના મૃત્યુ બાદ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ, સ્થળની મુલાકાત લઈ તંત્રની પોલ ખોલી

દૈનિક મોટી સંખ્યામાં મોતને ભેટતા પશુઓના મૃત્યુ બાદ મૃત પશુઓનો પણ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાની વ્યાપક ફરીયાદ બાદ કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

Jamnagar: પશુઓના મૃત્યુ બાદ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ, સ્થળની મુલાકાત લઈ તંત્રની પોલ ખોલી
કોંગ્રેસે ખોલી તંત્રની પોલ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 26, 2022 | 11:56 AM

જામનગર શહેરમાં (Jamnagar Latest News) છેલ્લા અઢી માસથી લમ્પી વાયરસના (Lumpy Virus) કેસ વધી રહ્યા છે. જેમાં અનેક પશુઓના મોત થઈ રહ્યા છે. પરંતુ તંત્રના ચોપડે તો સબસલામતનો દાવો જ કરવામાં આવી રહ્યો છે. દૈનિક મોટી સંખ્યામાં મોતને ભેટતા પશુઓના મૃત્યુ બાદ મૃત પશુઓનો પણ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાની વ્યાપક ફરીયાદ બાદ કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

શહેર કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેતા તંત્રની પોલ ખુલ્લી

જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષના નેતા આનંદ રાઠોડ અને કોર્પોરેટર ધવલ નંદાએ આજે મહાનગર પાલિકાની ટીમ દ્વારા થતી કામગીરીની સ્થળ મુલાકાત કરી. પશુઓના મૃતહેદને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો. એક સાથે 25 જેટલા મૃતપશુઓને ખાડામાં દાટી દેવામાં આવે છે. જેની યોગ્ય પ્રક્રિયા કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસના પ્રમુખે કર્યો.

ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ કે લમ્પી વાયરસને રોકવા માટે તો તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થતી નથી. પરંતુ પશુઓના મૃતહેદને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતા નથી. પશુઓ રોગના કારણે મોતને ભેટે છે. પરંતુ તંત્રના ચોપડે તેની નોંધ પણ થતી નથી. પવિત્ર શ્રાવણ માસ નજીક આવે ત્યારે ગાયના મોતને અટકાવવા કામગીરી કરવાની તેમજ મૃત્યુ પામેલી ગાયનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

છેલ્લા કેટલાક દિવસોથી પશુઓના મોત વધ્યા છે. જેને શહેરથી થોડે દુર ઠૈબા ચોકડી નજીક દાટવામાં આવે છે. પરંતુ ત્યાં આસપાસના વિસ્તારમાં ખુબ દુર્ગધ આવે છે. હાપા, ઠૈબા, સહીતના આસપાસના ગામજનોને આ માર્ગથી નિકળવુ મુશકેલ બને છે. દુર્ગધના કારણે માર્ગ પરથી પ્રસાર થવુ પણ મુશકેલ છે. તંત્રને આ મુદે પણ અનેક રજઆતો કરી છે. પરંતુ કોઈ પગલા લેવાતા નથી.

કચરાની ગાડીમાં કચરાને બદલે કેરણ નાખીને કમાણી કરવામાં આવે છે

મહાનગર પાલિકાની કામગીરી અંગે સ્થળ મુલાકાત વખતે નજીક આવેલ ડમ્પીંગ પોઈન્ટ પર કચરાની ગાડીઓ પ્રસાર થઈ રહી હોય તે ગાડીમાંથી પથ્થરો નીચે પડતા દેખાતા વિપક્ષના નેતા દ્વારા ગાડીને રોકીને ચેક કરવામાં આવી તો કચરાની ગાડીમાં કેરણ એટલે કે માત્ર પથ્થર-માટીની ભરતીથી ભરેલ હતી. તે અંગે સોલીટ વેસ્ટના અધિકારીને જાણ કરતા અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપીને કોઈ પણ કામગીરી ના કરવામાં આવી. જે મુદે વિપક્ષના નેતા દ્વારા ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી.

મહાનગર પાલિકા દ્વારા કચરો ડોર-ટુ-ડોર કલેકશન કરીને ડમ્પીંગ પોઈન્ટ પર લાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કચરાની ગાડીમાં કેરણ ભરીને કચરાનુ વજન વધારે દર્શાવીને કોન્ટ્રાકટરો દ્વારા તગડી કમાણી કરવામાં આવે છે. તો અધિકારી પણ આવા કોન્ટ્રાકટરોને છાવરતા હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે. રોજ માટે વિપક્ષના નેતાએ અધિકારીને જણાવતા તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">