અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATS દ્વારા સંયુક્ત રીતે કરાયેલા ઓપરેશન દરમિયાન હિંમતનગરથી હૈદરાબાદ લઈ જવાતા એક નવજાત બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યું છે. એરપોર્ટ નજીકથી કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ₹3.60 લાખમાં બાળક ખરીદી હૈદરાબાદમાં વેચવાની યોજના બનાવી હતી. આ કેસમાં ઓઢવ, વટવા અને હૈદરાબાદના એક-એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રોકડ, ચાર મોબાઇલ ફોન અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.
29 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રાજ્યમાં હજુ વધશે ઠંડીનું જોર, આગામી 48 કલાકમાં તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો થશે વધારો, 45 થી 55 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે 29 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 29 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જામનગર: પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટમાં ગેરરીતિ
જામનગરમાં પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટીમાં બે ઉમેદવારો ગેરરીતિ આચરી છે. જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 23 તારીખે યોજાયેલી દોડમાં બે ઉમેદવારોએ આચરી હતી, જેમાં એક ઉમેદવારે પોતાની બંને રનિંગ ચિપ અન્ય ઉમેદવારને આપી દીધી હતી. આ મામલે પોલીસ અધિકારીએ બંને શખ્સો વિરુદ્ધ સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. SRPમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અર્જુનસિંહ જાડેજા દોડી શકતો ન હોવાથી તેણે પોતાની બંને ચિપ તેના સાથી ઉમેદવાર શિવભદ્રસિંહને આપી દીધી હતી. દોડ શરૂ થતા પહેલા જ તેણે મિત્રને ચિપ આપી દીધી અને છેક બારમા રાઉન્ડમાં પોતાના મિત્ર પાસેથી ચિપ પરત લઈ દોડ પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
-
અમદાવાદમાં 100 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલનું પુલનું નિર્માણ
મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી બની રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન એક સાથે બંન્નેનું વજન ઉચકી શકે તેવો મહાકાય પૂલ બની ગયો છે. એન્જિનિયરિંગની દુનિયામાં કમાલ સર્જતો આ પૂલ મેટ્રો ટનલ પર બન્યો છે. જે 100 મીટર લાંબો છે અને ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ પૂલનું અદભૂત ઉદાહરણ છે. રાજ્યમાં કુલ 17 સ્ટીલના પુલોમાંથી ગુજરાતમાં આ 13મો પુલ છે. આ પૂલનો પ્રોજેક્ટ સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચર્સથી બનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે સ્પાન્સ 30 થી 50 મીટર સુધીના હોય છે, પરંતુ આ સ્થળે અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થવાના કારણે સ્પાન 100 મીટર લાંબા રાખવા પડ્યા છે.
-
-
રાજકોટઃ ડિમોલિશનનો વિરોધ કરનારા ભાજપના કોર્પોરેટરનો પત્ર વાયરલ
રાજકોટઃ જંગલેશ્વરમાં ડિમોલિશનના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડિમોલિશનનો વિરોધ કરનાર ભાજપના કોર્પોરેટરનો જ પત્ર સામે આવ્યો છે. કોર્પોરેટર નરેન્દ્ર ડવે જ અગાઉ દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. નદીકાંઠાના દબાણો દૂર કરી ટીપી રોડ ખુલ્લો કરવાની માગ કરી હતી. મુખ્યમંત્રીને સંબોધીને નરેન્દ્ર ડવે લખેલો પત્ર હાલ વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની અંતિમ નોટિસ પાઠવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. અગાઉ વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો અને હવે ભાજપના જ કોર્પોરેટર મેદાનમાં આવ્યા છે. નરેન્દ્ર ડવે આક્ષેપ કર્યો હતો કે 1300 નહીં પરંતુ, 1800 મકાનો આ વિસ્તારમાં આવેલા છે. લોકોને વૈકલ્પિક જગ્યા અને વધુ સમય આપવાની તેમણે માગ કરી છે. પરંતુ, હાલ તેમના જ દબાણો દૂર કરવાનો પત્ર વાયરલ થતા અનેક સવાલ ઊઠી રહ્યા છે.
-
ભાવનગર: અસામાજીક તત્વએ ન્યાય સભાનું પોસ્ટર ઉખાડ્યું
ભાવનગર: અસામાજીક તત્વએ ન્યાય સભાનું પોસ્ટર ઉખાડ્યું છે. નવનીત બાલધીયાને માર મારવા અંગે ન્યાય સભાના પોસ્ટર લાગ્યા છે. હાદાનગર સહિતના વિસ્તારોમાં કોળી સમાજ દ્વારા પોસ્ટર લગાવાયા છે. શખ્સ ન્યાય સભાનું પોસ્ટર ઉખાડીને બાઈક પર બેસી ફરાર થયો. ન્યાય સભાના પોસ્ટર ઉખાડવાની ઘટના CCTVમાં કેદ થઈ છે.
-
મહીસાગર: લુણાવાડામાં પરિવારને બંધક બનાવી તસ્કરોએ કરી લૂંટ
મહીસાગર: લુણાવાડામાં પરિવારને બંધક બનાવી તસ્કરોએ લૂંટ ચલાવી. 4 તસ્કરોએ પરિવારને બંંધક બનાવી લાખોની લૂંટ કરી. પરિવારજનો જાગી જતા તસ્કરોએ તેમને બંધક બનાવ્યા હતા. ઘર માલિકને ઉંધા લટકાવીને તસ્કરોએ તેમને માર મારવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તસ્કરોએ ઘરમાંથી 2 લાખ રોકડ અને 4 લાખના દાગીના લઈ ફરાર થયા હતા. ઘટના બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે.
-
-
અમદાવાદ: મકાન ધરાશાયી થતા વૃદ્ધ મહિલાનું મોત
અમદાવાદ: મકાન ધરાશાયી થતા વૃદ્ધ મહિલાનું મોત થયુ છે. ઘી કાંટા પાસે નવતાડની પોળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયુ હતુ. ડ્રેનેજની કામગીરી સમયે આ ઘટના બની હતી. 1મજૂર અને એક વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા હતા. કાટમાળમાંથી બંનેને કાઢીને સારવાર માટે ખસેડાયા હતા.
ઘટના બનતા જ તાત્કાલિક તંત્ર કામે લાગ્યું હતું. મનપાનો દાવો છે કે જે મકાન ધરાશાયી થયું તે જર્જરીત હાલતમાં હતું. જર્જરિત મકાનને અંદરથી રિનોવેશન કરાવ્યું હતું, મકાનની એક દીવાલ નમેલી હતી.
બીજી તરફ સ્થાનિકોમાં મનપા સામે રોષ છે. જર્જરિત મકાનોને ફક્ત નોટિસો આપવામાં આવે છે, કોઈ નક્કર કામગીરી નથી થઈ રહી તેવો સ્થાનિકોનો દાવો છે.
-
અમદાવાદઃ AMTSનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ
અમદાવાદઃ AMTSનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2026- 27નું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ. 2030 સુધી તમામ AMTS બસને EVમાં રૂપાંતરિત કરાશે તમામ AMTS બસમાં ACની સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ. 20 જેટલા ગ્રીન બસ સેન્ટર બનાવવામાં આવશે. અમદાવાદના ચાર ખૂણા પર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે. અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન કરાયુ છે. ડ્રાઈવર માટે મોબાઈલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે.
-
પંચમહાલમાં ઓરીના 10 પોઝિટિવ કેસ નોંધાયા
પંચમહાલ જિલ્લામાં ઓરીના 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે જિલ્લાનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. અને ઓરીના કેસ ધરાવતા વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરી 9 માસથી 5 વર્ષ સુધીના 6 હજારથી વધુ બાળકોના સર્વે કરવામાં આવ્યો છે અને ગોધરા શહેરના 10 હજારથી વધુ બાળકોને આગામી 3 દિવસ સુધી ઓરીના બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગના 200થી વધુ કર્મચારીઓ જોડાયા છે. ગોધરા શહેરના ત્રણ મુખ્ય વિસ્તારોને આ રસીકરણ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. જેમાં ગોધરા શહેરના ખાડી ફળિયા, પટેલવાડા અને સાત પુલ વિસ્તારમાં ઓરી સામે રક્ષણ આપતી વેક્સિન મૂકાવવા માટેનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
-
ભાવનગર: આવાસ યોજનાના મકાન ભાડે આપનારા સામે કાર્યવાહી
આવાસ યોજનામાં મકાન મળ્યા બાદ આ જ મકાન ભાડે આપનારા લાભાર્થીઓ સામે ભાવનગર મનપાએ ચેકિંગ હાથ ધર્યું હતું, મનપાની ટીમે 56 જેટલા આવાસોમાં તપાસ કરી હતી જેમાં 24 મકાનમાં લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું હતું, ભાડૂઆતને મનપાએ નોટિસ આપીને ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવા સૂચના આપી છે, જો ત્રણ દિવસમાં મકાન ખાલી કરવામાં નહીં આવે તો આવાસ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, અત્યાર સુધી કુલ 620 આવાસ મકાનોમાં તપાસ કરતા અત્યાર સુધી 248 આવાસોમાં ભાડૂઆત મળી આવેલા છે. જેમાંથી 72 આવાસોને સીલ મારવામાં આવેલા છે. અને 152 આવાસોને ખાલી કરવામાં આવ્યા છે.
-
ડાંગ: આશ્રમ શાળામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
ડાંગ જિલ્લાની આશ્રમ શાળામાં વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટના અંગે વલસાડના સાંસદે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે આ કૃત્ય માનવતા અને સમાજ બંનેને કલંકિત કરનારું છે. આવા અમાનવીય ગુનાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. દોષિતોને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા મળે તે માટે પ્રશાસનને તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા પોલીસ વિભાગને તાકિદ કરી છે
-
સુરત: ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવતા કારખાનામાં આગ
સુરત: ઉધનામાં પ્લાસ્ટિકના દાણા બનાવતા કારખાનામાં આગ લાગી હતી. ફાયર NOC અને જરૂરી લાયસન્સ વગર કારખાનું ધમધમતું હતું. પોલીસે ફેક્ટરી માલિકો સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો. ફેક્ટરી માલિક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. મશીનમાં ઓવર હિટિંગના લીધે ભીષણ આગ લાગી હતી. આગમાં 5થી વધુ લોકો દાઝ્યા હતા અને 4ના મોત થયા હતા. આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.
-
UGCના નવા નિયમો મામલે સવર્ણ સમાજના આગેવાનોની બેઠક
રાજકોટમાં UGCના નવા નિયમો મામલે સવર્ણ સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં પાટીદાર,બ્રહ્મસમાજ,લોહાણા સમાજ,ક્ષત્રિય અને ભાટીયા સમાજના આગેવાનો જોડાયા હતા, બેઠક બાદ દિનેશ બાંભણિયાએ કહ્યું કે. યુજીસીને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે આવકારીએ છીએ અને યુજીસીના 2012ના નિયમ યથાવત રહે તેવી માગણી કરી હતી
તો પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું તમામ સવર્ણ સમાજ પોતાના અધિકારી માટે લડશે તેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી અને આગામી ચૂંટણીમાં આર્થિક રીતે નબળા વર્ગોને પણ અનામત મળે તે અગે પણ મંથન કરવામાં આવ્યું.
-
SIRની કામગીરીમાં વિવાદ વચ્ચે મોટા સમાચાર
SIRની કામગીરીમાં વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતોમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો. નામ કમી કરવા માટે આવેલા ફોર્મના આંકડામાં વિસંગતતા જોવા મળી. 23 જાન્યુઆરીએ ચૂંટણી પંચે 12 લાખ 59 હજાર 229 ફોર્મ નામ કમી માટે ભરાયાની વિગત આપી હતી. આજે આપેલી વિગતમાં 9 લાખ 88 હજાર 621 ફોર્મ નંબર-7 મળ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ અત્યાર સુધી મળેલી અરજીઓ અંગે ચૂંટણી પંચે માહિતી જાહેર કરી.
-
સુરત: 12 લાખ 20 હજારની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો
સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ફરિયાદી સાથે 12 લાખ 20 હજારની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે, ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી પોલીસે આરોપીને દબોચી લીધો છે. ટેક્નિકલ તપાસના આધારે પોલીસે આરોપીનું લોકેશન મેળવી આ કાર્યવાહી કરી હતી..આરોપીઓએ ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે ‘ક્રિપ્ટો કરન્સીના ટાસ્ક’ પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. આ માટે એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીના બે અલગ અલગ બેન્ક ખાતામાં ફ્રોડની રકમ જમા થઈ હતી, એક ખાતામાં 5 લાખ 79 હજાર રૂપિયા જ્યારે બીજા ખાતામાં 5 લાખની રકમ જમા થઈ હતી
-
આવતીકાલથી યાત્રાધામ અંબાજીમાં ભક્તિનો મહાકુંભનો થશે પ્રારંભ
આવતીકાલથી 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પ્રારંભ કરાવશે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર તળેટી વિસ્તારમાં બનેલા પ્રકલ્પમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે. સ્થાનિક તંત્રએ તે માટેની તમામ તૈયારી કરી નાાખી છે. આ પ્રસંગે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહીત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત પણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
-
કચ્છ : ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો
કચ્છ : ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો. બપોરે 1:56 મિનિટ 3.5 ની તીવ્રતાનો આંચકો નોંધાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ થી 11 કિમી દૂર નોંધાયું. તાજેતરમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાની સંખ્યા વધી.
-
કચ્છ: ભચાઉના જૂના કકરવામાં ગોડાઉનમાં આગ યથાવત
કચ્છ: ભચાઉના જૂના કકરવામાં ગોડાઉનમાં આગ યથાવત છે. વન વિભાગના ઘાસચારાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. 12 ક્લાકની જહેમત બાદ આગ હજુ બેકાબૂ છે. આગમાં કોઈ જાનહાનિનો બનાવ નહીં.
-
AMTSનું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું
અમદાવાદ: AMTS નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2026-27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. 2030 સુધી તમામ AMTS બસ EV કરવામાં આવશે. તમામ AMTS બસ એસી કરવામાં આવશે. 20 જેટલા ગ્રીન બસ સેન્ટર બનાવવામાં આવશે. અમદાવાદના ચાર ખૂણા પર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે. અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન છે. ડ્રાઈવર માટે મોબાઈલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે. AMTS નું દેવું હાલમાં 600 કરોડનું છે. બસોની સંખ્યા વધશે તો આવક વધવાની સંભાવના છે.
-
પાટણઃ સિદ્ધપુરમાં વિદ્યાર્થીનો આપઘાત
પાટણઃ સિદ્ધપુરમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો. હોસ્ટેલના રૂમમાં ગળો ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું. ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. 23 વર્ષિય મહેન્દ્ર સુથાર નામના વિદ્યાર્થીના આપઘાતથી ચકચાર મચી છે. વિદ્યાર્થી મૂળ વાવ જિલ્લાના દિયોદરના જલોઠા ગામનો વતની હતો. સિદ્ધપુર પોલીસે આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી.
-
અમદાવાદ: આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
-
નાણામંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો
આજે બજેટ 2026 સત્રનો બીજો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો. નાણાકીય વર્ષ 2026-27 માટે દેશનો GDP વૃદ્ધિ દર 6.8 થી 7.2 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે.
-
અમરેલીઃ ધારીના જંગલમાં એકસાથે 14 સિહનો વીડિયો વાયરલ
અમરેલીઃ ધારીના જંગલમાં એકસાથે 14 સિહનો વીડિયો વાયરલ થયો છે. જંગલ કાંઠાના વાઘાવડી ગામ નજીક સિંહનું ટોળું જોવા મળ્યું. શિકારની શોધમાં 14 સિંહ જંગલમાંથી ગામ તરફ વળ્યા. 14 સિંહના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
-
ઉત્પાદકોએ EU સાથેના FTAનો લાભ લેવો જોઈએ: PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન સાથેનો મુક્ત વેપાર કરાર મહત્વાકાંક્ષી ભારત માટે છે. ઉત્પાદકોએ તેમના માટે ખુલતા નવા બજારોનો લાભ લેવો જોઈએ. એક નવું બજાર ખુલ્યું છે, જે 27 EU સભ્ય દેશોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરે છે.
-
એક જ દિવસમાં 10 થી 12 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યાં
દાહોદ શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 10થી 12 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યાં. ગોદી રોડ સહિતના વિસ્તારોમાં લોકોને શ્વાને ઘાયલ કર્યાં. ઘાયલોને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. શ્વાનના આતંકથી શહેરીજનોમાં ભારે રોષ અને ભય છે.
-
મહારાષ્ટ્રઃ બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર
મહારાષ્ટ્રઃ બારામતીમાં થોડીવારમાં અજિત પવારના અંતિમ સંસ્કાર થશે. અંતિમ સંસ્કાર પહેલા અજીત પવારની અંતિમયાત્રા નીકળી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં પણ લોકોનો જમાવડો જોવા મળ્યો. અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ હાજરી આપશે. ગૃહપ્રધાન અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહેશે. ગઈકાલે પ્લેન ક્રેશમાં DyCM પવાર સહિત 5 લોકોના મોત થયા હતા.
-
સંસદમાં આજે નાણા પ્રધાન નિર્મલા સીતારામન રજૂ કરશે આર્થિક સર્વેક્ષણ
સંસદમાં આજે નાણા પ્રધાન નિર્મલા સીતારામન રજૂ કરશે આર્થિક સર્વેક્ષણ. દેશની અર્થ વ્યવસ્થાના લેખાજોખા રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક સ્થિતિ, પડકાર અને દિશા નક્કી કરશે. ત્રણ દિવસ બાદ બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. પહેલીવાર રવિવારે નિર્મલા સીતારામન દેશનું બજેટ રજૂ કરશે.
-
સુરતઃ જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પડેલા ITના દરોડા બીજા દિવસે પણ યથાવત્
સુરતઃ જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પડેલા ITના દરોડા બીજા દિવસે પણ યથાવત્ છે. વસંત અને ચુની ગજેરાને ત્યાં દરોડાની કામગીરી યથાવત છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 સ્થળે 110 અધિકારી દ્વારા તપાસ ચાલી રહી છે. IT વિભાગની તપાસ બાદ EDની પણ એન્ટ્રી થઈ શકે છે. ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ દરોડા. મેહુલ ચોક્સીનું કેટલુંક રોકાણ લક્ષ્મી કંપનીમાં થયું હોવાની માહિતી છે. ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની માહિતી છે. મોટી કરચોરીની આશંકાને લઇ તપાસ
-
સેન્સેક્સ, નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા
મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં, 29 જાન્યુઆરીએ ભારતીય સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા. સેન્સેક્સ 248.45 પોઈન્ટ અથવા 0.30 ટકા ઘટીને 82,096.23 પર અને નિફ્ટી 60.80 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 25,281.95 પર બંધ રહ્યો. લગભગ 1334 શેર વધ્યા, 1070 શેર ઘટ્યા અને 166 શેર યથાવત રહ્યા.
-
ગીર સોમનાથઃ પિતા-પુત્ર ઉપર દીપડાનો હુમલો
ગીર સોમનાથમાં ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામમાં એક મકાનની ઓસરીમાં સુતેલા પિતા ઉપર દીપડાએ હુમલો કર્યો. પિતા પર હુમલો થતો જોઈ પુત્ર ત્યાં દોડી આવ્યો. તો દીપડાએ તેના પર પણ હુમલો કર્યો.. એટલે પિતાએ દાતરડાંથી દીપડા પર પલટવાર કર્યો અને તેને ત્યાં જ મારી નાખ્યો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પિતા-પુત્ર બંનેને સારવાર માટે ઉના ખસેડ્યા.
-
અમદાવાદ: નશાયુક્ત કફ સિરપની હેરાફેરીમાં 2ની ધરપકડ
અમદાવાદ: નશાયુક્ત કફ સિરપની હેરાફેરીમાં 2ની ધરપકડ થઇ. કફ સિરપની હેરાફેરી કરતી ગાડી પોલીસે ઝડપી પાડી. નશાયુક્ત કફ સિરપની 2500થી વધુ બોટલોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. 4.15 લાખની કિંમતની કફ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, અન્ય 3 ફરાર છે.
-
મધ્યપ્રદેશઃ ભાજપ નેતાની ગુંડાગર્દી આવી સામે
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ભાજપ નેતાની ગુંડાગર્દી સામે આવી છે. મળતી માહિતી મુજબ ભાજપ નેતા પુલકિત ટંડન યુવતીને દોડાવી દોડાવીને મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી નેતા યુવતીને જાહેરમાં લગભગ છ જેટલા થપ્પડ મારતો જોવા મળે છે. પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલી હોઈ શકે છે. ઘટનાને લઈને ભારે વિરોધ થયો છે અને લોકો તરફથી હુમલાખોર ભાજપ નેતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
-
મહારાષ્ટ્ર: અજિત પવારનો પાર્થિવ દેહ ટૂંક સમયમાં તેમના પૈતૃક ગામ લાવવામાં આવશે
હારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો પાર્થિવ દેહ ટૂંક સમયમાં તેમના પૈતૃક ગામ કાટેવાડી લાવવામાં આવશે. અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે કરવામાં આવશે.
-
કોલંબિયામાં લેન્ડિંગ પહેલાં વિમાન ક્રેશ થયું, 15 લોકોના મોત
કોલંબિયામાં લેન્ડિંગ પહેલાં એક વિમાન ક્રેશ થયું. તેમાં સવાર તમામ 15 લોકોના મોત થયા છે.
-
યુજીસીના નવા નિયમો વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ નવા યુજીસી નિયમો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. વકીલ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
Published On - Jan 29,2026 7:30 AM