28 એપ્રિલના મહત્વના સમાચાર : બંધારણમાં ફેરફાર કરવા ભાજપ 400થી વધુ બેઠકો ઈચ્છે છેઃ શરદ પવાર
Gujarat Live Updates : આજ 28 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી સવારે 11 વાગે બેલગાવીમાં જનસભાને સંબોધન કરશે. તે પછી બપોરે 1 વાગ્યે ઉત્તરા કન્નડમાં રેલી થશે. આ પછી પીએમ મોદી બપોરે 3 વાગ્યે દેવાંગરેમાં અને પછી સાંજે 5 વાગ્યે બેલ્લારીમાં જાહેરસભાને સંબોધશે.
જ્યારે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાનપુરમાં ભાજપના કાર્યકરો અને અધિકારીઓને જીતનો મંત્ર આપશે. સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ આગ્રા પહોંચશે અને પોતાના ઉમેદવારના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા દિલ્હીમાં રોડ શો યોજશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.