21 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદ એસ જી હાઈવે પકવાન બ્રિજ પર અકસ્માત, 1નું મોત
Gujarat Live Updates આજ 21 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાના 9 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં શનિવાર 20 જૂનના રોજ સવારના છ વાગ્યાથી 21 જૂન રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં, 6 જિલ્લાના 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ અમરેલીમાં 41 મિ.મી. નોંધાયો છે.
-
અમદાવાદ એસ જી હાઈવે પકવાન બ્રિજ પર અકસ્માત, 1નું મોત
અમદાવાદનો એસ જી હાઈવે વધુ એકવાર બન્યો જીવલેણ. પકવાન ઓવરબ્રિજ પર અકસ્માતમાં 1નું મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસ દ્વારા બ્રિજ પર ડાઈવર્ઝન આપી કામગીરી કરાઈ છે. તથ્ય જેવી ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા કરાઈ વ્યવસ્થા. શબવાહિની દ્વારા હાલ મૃત શરીરને હટાવવાની કામગીરી કરવામાં આવી છે.
-
-
ફાયરના નિયમનો સરેઆમ ભંગ કરનાર 8 હોટલને અમદાવાદ ફાયર બ્રિગેડે સીલ માર્યા
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ 8 હોટલને સીલ કરવામાં આવી છે. સીલ કરાયેલ હોટલમાં હોટેલ નીલકંઠ મોટેરા, ચાંદખેડા, હોટેલ ફિલિપ્સ મોટેરા, ચાંદખેડા, હોટેલ સનસ્ટાર ઇન શિવ શક્તિ નગર બસ સ્ટેન્ડની સામે, ચાંદખેડા, કહાની પ્રોગ્રેસિવ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ સ્નેહ પ્લાઝા, ચાંદખેડા. હોટલ આરામ ઓર્કિડપાલડી મ્યુઝિયમ સામે, પાલડી, હોટલ આરકે રીજન્સી, એવરોન હોસ્પિટલની બાજુમાં નારણપુરા. હોટલ ગ્રીન ફોરચ્યુન, સરદાર પટેલ કોલોની નારણપુરા, હોટલ પેસિફીક એમ્પાયર, સરદાર પટેલ કોલોની નારણપુરા અમદાવાદનો સમાવેશ થાય છે.
-
ખંભાળીયા હાઇવે પરના ટી-પોસ્ટની સામેની અવાવરું જગ્યામાં આવેલ કુવામાંથી મહિલાની લાશ મળી
જામનગરમા કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખંભાળીયા હાઇવે પર આવેલ ટી-પોસ્ટની સામે અવાવરું જગ્યા પાસે આવેલ કુવામાંથી મહિલાની લાશ મળી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક વાડી વિસ્તારના લોકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. જામનગર ફાયર વિભાગ દ્વારા મહિલાની લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી. હાલ સમગ્ર મામલે જામનગર શહેર પોલીસ દ્વારા મહિલાની લાશની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે. મહિલા કુવામા કેવી રીતે પડી અને આ બનાવનું કારણ શું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ઘમધમાટ શરુ.
-
પંચમહાલના ગોધરાના ઝુડિયો શો રૂમ પાસે કારમાં લાગી આગ
પંચમહાલના ગોધરાના ઝુડિયો શો રૂમ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી. પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરાના વાવડી વિસ્તારમાં આવેલ ઝુડિયો શોરૂમની બહાર આ ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
-
આજે 21 જૂનને રવિવારના રોજ, 12મો વિશ્વ યોગ દિવસ છે. આ સાથે આજે વિશ્વમાં ફાધર્સ ડેની પણ ઉજવણી કરાઈ રહી છે. ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jun 21,2026 7:23 AM
