Gujarat : કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો, નવા 13 કેસ, મૃત્યુઆંક શુન્ય

પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 13 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 6 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં એક કેસ નોંધાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 7:59 AM

Gujarat :  રાજ્યમાં સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 13 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 6 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં એક કેસ નોંધાયો. જ્યારે 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં હવે માત્ર 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 153 થઇ છે.

રાજયમાં રસીકરણની સ્થિતિ શું છે ?

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 7.48 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 85 હજાર લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 72 હજાર લોકોનું રસીકરણ કરાયું. જ્યારે બનાસકાંઠામાં 48 હજાર 557, દાહોદમાં 44 હજાર 583 અને આણંદમાં 34 હજાર 266 લોકોને રસીના ડોઝ અપાયા. જ્યારે રાજકોટમાં 28 હજાર 816 અને 21 હજાર 301 લોકોને રસી અપાઇ. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 70 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

કેરળમાં કોરોનાની સ્થિતિ વિકટ બની, દેશના કુલ કેસના 70 ટકા કેસ નોંધાયા

કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારથી વધુ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 32 હજાર 803 કેસ નોંધાયા છે. જ્યારે 173 લોકોનાં મોત થયા છે. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે. કારણ કે દેશમાં કોરોનાના 45 હજાર 966 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 505 લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી 4 લાખ 39 હજાર 559 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.83 લાખથી વધુ સક્રિય કેસ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">