આજે રાજ્યમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ, કુલ આંક 8195 થયો, જાણો જિલ્લા મુજબ વિગત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 398 કેસ નોંધાયા છે. 454 દર્દીઓને સ્વસ્થ થયા બાદ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 21 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8195 થઈ ગઈ છે. જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2545 […]
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 398 કેસ નોંધાયા છે. 454 દર્દીઓને સ્વસ્થ થયા બાદ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 21 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 8195 થઈ ગઈ છે. જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2545 લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.
આ પણ વાંચો : ગ્રીન ઝોન એવા મોરબી જિલ્લામાં નોંધાયો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ, જાણો વિગત
ક્યાં જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોનાના કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નવા 398 કેસ નોંંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં નવા 278 કેસ, સુરતમાં 41 કેસ, વડોદરામાં 25 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, મહેસાણા-ગીર સોમનાથમાં નવા 8-8 કેસ, સાબરકાંઠામાં 06 કેસ, બનાસકાંઠામાં 04 કેસ, પાટણમાં 03 કેસ, બોટાદમાં 03 કેસ, જામનગરમાં 03 કેસ, પંચમહાલમાં 02 કેસ, સુરેન્દ્રનગરમાં 02 કેસ, આણંદમાં 01 કેસ, કચ્છમાં 01 કેસ અને મોરબીમાં પણ 01 કેસ નોંધાયો છે.
કેવી છે દર્દીઓની સ્થિતિ?
રાજ્યમાં કોરોના વાઈરસના કુલ દર્દીઓ 8195 છે. આ દર્દીઓમાં 31 લોકોની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5126 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે કોરોના વાઈરસના લીધે રાજ્યમાં કુલ 493 લોકોએ જીવ ગુમાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો