AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

રાજ્યના સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ (Government Employee) અને અધિકારીઓ ઉપરાંત એટલીજ સંખ્યામાં પેન્શનરો પણ માંગણી માટે ટ્વીટર પોસ્ટ કરશે.

રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા વિવિધ મંડળોને રુપરેખા મોકલાઇ
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 15, 2022 | 11:57 PM
Share

બુધવારથી ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી (Government Employee)ઓ અને અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર (Government of Gujarat) સામે સોશિયલ મીડિયામાં બાંયો ચઢાવવામાં આવશે. પહેલા ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઓ દ્વારા સરકાર સામે માંગણીઓની રજુઆતનું અભિયાન કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર રજૂઆત દ્વારા માંગણીઓ કરવામાં આવશે. રાજ્યના સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપરાંત એટલી જ સંખ્યામાં પેન્શનરો પણ માંગણી માટે ટ્વીટર પર પોસ્ટ કરશે.

આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્યના વિવિધ સંગઠનો અને મંડળોને કાર્યક્રમની રુપરેખા તૈયાર કરીને મોકલી આપવામાં આવી છે. જેમાં લાંબા સમયથી અધિકારીઓ અને કર્મચારીઓના પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા કોઈ જ નિરાકરણ કરવામાં નહીં આવતા આ અભિયાન કરવામાં આવનાર છે. જે ચાર દિવસ માટેના ટ્રેન્ડ ચલાવવામાં આવશે અને આ માટે ટ્વીટર પર વિવિધ હેશટેગ દ્વારા આ અંગેની માંગણી કરતી પોસ્ટ બપોરના ત્રણ વાગ્યાથી શરુ કરવામાં આવનાર છે. જે પાંચ વાગ્યા દરમિયાન ચાલશે.

આ માટે વિવિધ મંડળોના શિક્ષકો અને કર્મચારીઓ તેમજ અધિકારીઓને આ માટે અપીલ કરવામાં આવી છે. જે મુજબ તેઓએ આ અભિયાન હેઠળ ટ્વીટર પર પોસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યુ છે અને વિવિધ માંગણીઓને લઈને ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે અને તે મુજબ આ અંગેના હેશટેગ સાથે ટ્રેન્ડ કરવા જણાવાયુ છે. સમિતિના પ્રમુખ આરએચ પટેલે આ અંગે માહિતી આપી હતી અને વિવિધ માંગણીઓને લઈને તે અંગેનો ઉકેલ લાવવા માટે આ અભિયાન ચલાવવા માટે કર્મચારીઓ અને પેન્શનરોને જણાવાયુ હોવાનું કહ્યુ હતુ.

આ રીતે ચલાવાશે અભિયાન

જેમાં પ્રથમ દિવસે ફિક્સ પગારની પોલિસી મુદ્દે ફિક્સ ગાલના કેસને પરત લેવા અને ફિક્સ પગારની પ્રથાને દૂર કરવા માટેની માંગ કરવામાં આવશે. આ માટે આગામી 21 ફેબ્રુઆરીએ #withdraw_fixpaycase_from_supremcourt અને #remove_fixpaypolicy_gogujarat ના હેશટેગને ટ્રેન્ડ ચલાવવામાં આવશે. આ ઉપરાંત 24 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાવમાં આવેલ સાતમાં પગાર પંચના બાકીના ભથ્થા સહિતના લાભોની માંગ કરવામાં આવશે.

જે માટે #release_7thpay_allowance_gogujarat ટ્રેન્ડ ચલાવાશે. શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કર્યા મુજબનું મોંઘવારી ભથ્થુ જાહેર કરવા માટે માંગ કરીને #release_DA_gogujarat ટ્રેન્ડ કરાશે. તેમજ 1 માર્ચે નવી પેન્શન યોજનાનને સ્થાને જુની પેન્શન યોજનાલાગી કરવા માટેની માંગ કરવામાં આવશે. આ માટે #restore_OPS__gogujarat ટ્રેન્ડ ચલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ

આ પણ વાંચોઃ IND VS WI: હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કેટલુ છે મહત્વ, તેની ભૂમિકા અને T20 વિશ્વકપ ટીમ સિલેક્શન અંગે પણ કહી મોટી વાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">