AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ

વિરાટ કોહલી (Virat Kohli) વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં ત્રણ મેચમાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. જેના કારણે તેના ફોર્મ પર અનેક સવાલો ઉભા થયા હતા.

IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ
Virat Kohli સળંગ ત્રીજા વર્ષે સદીથી દૂર છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 4:18 PM
Share

વિરાટ કોહલી (Virat Kohli) હાલ રનના દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યો છે. તેના પર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ તેનો બચાવ કર્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી-20 શ્રેણી પહેલા કોહલીના ફોર્મને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો માટે તેણે મીડિયાને જવાબદાર ઠેરવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું કે આ બધું મીડિયાથી શરૂ થાય છે. મીડિયા થોડો સમય મૌન રહેશે તો બધું સારું થઈ જશે. વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. તે ત્રણ મેચમાં 26 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન તેણે 8, 18 અને 0 રનની ઇનિંગ્સ રમી હતી.

રોહિત શર્માએ કહ્યું કે જો તેના વિશેની વાતો બંધ થઈ જશે તો બધું સારું થઈ જશે. તેણે કહ્યું, મને લાગે છે કે આ બધું તમારા (મીડિયા) થી શરૂ થાય છે. તમે લોકો થોડા દિવસ ચૂપ રહેશો તો બધું સારું થઈ જશે. જો તમારી બાજુથી વસ્તુઓ અટકી જશે તો બધું ઠીક થઈ જશે. રોહિત શર્માએ વધુમાં કહ્યું કે કોહલી પર કોઈ દબાણ નથી અને તે જલ્દી સારો દેખાવ કરશે.

કેપ્ટન રોહિતે કહ્યું, તે સારા વાતાવરણમાં છે અને તેને આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ બન્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણો સમય વિતાવ્યો છે અને દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણે છે. પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને વારંવાર વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું હતું. ભારતીય કેપ્ટન આનાથી ખુશ દેખાતો ન હતો. તેણે સ્પષ્ટ કહ્યું, મને લાગે છે કે બધું તમારી સાથે શરૂ થાય છે. તમે લોકો શાંત રહેશો તો બધું સારું થઈ જશે.

કોહલીની સદી બે વર્ષમાં નથી બની

વિરાટ કોહલીને સદી ફટકાર્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વનડે ક્રિકેટમાં ત્રણ વર્ષથી તેની સદીઓનો દુષ્કાળ ચાલી રહ્યો છે. આ ફોર્મેટમાં તેના નામે 44 સદી છે. જો કે કોહલીના બેટમાંથી અડધી સદી નીકળી રહી છે. આ બતાવે છે કે તેના ફોર્મમાં કંઇ ગરબડ નથી.

રોહિત શર્માએ અગાઉ વનડે સીરીઝના અંતે પણ વિરાટ કોહલીનો બચાવ કર્યો હતો. તે સમયે રોહિતને પૂછવામાં આવ્યું કે શું કોહલીને આત્મવિશ્વાસની જરૂર છે? જેના પર ભારતીય કેપ્ટનનો જવાબ હતો, ‘વિરાટ કોહલીને આત્મવિશ્વાસની જરૂર છે, શું વાત કરો છો યાર.

આ પણ વાંચોઃ Cricket: ગુજરાતમાં જન્મેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનુ કરાચીમાં અવસાન, 4 ભાઇઓએ રમી હતી ટેસ્ટ ક્રિકેટ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: અવેશ ખાન દિલ્હી કેપિટલ્સનો હિસ્સો ના બની શકતા ઋષભ પંતે કહ્યુ ‘સોરી જોડી ના શક્યા’

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">