AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિસાવદરની ચૂંટણી જીતતા જ ગોપાલ ઇટાલિયાનું યુવાનોને આહ્વાન, કહ્યુ- આત્માને જગાડો, આપણે પરિવર્તન માટે લડવુ પડશે, જુઓ Video

જુનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં જ રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાએ જનતાનો આભાર માનતા એક તીવ્ર સંદેશ આપ્યો હતો.

વિસાવદરની ચૂંટણી જીતતા જ ગોપાલ ઇટાલિયાનું યુવાનોને આહ્વાન, કહ્યુ- આત્માને જગાડો, આપણે પરિવર્તન માટે લડવુ પડશે, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2025 | 4:57 PM
Share

જુનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં જ રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાએ જનતાનો આભાર માનતા એક તીવ્ર સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતના યુવાનોને સંબોધન કરીને ગુલામીમાંથી મુક્ત થવાની અપીલ કરી હતી અને ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તેમજ તાનાશાહી સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભાજપે નાગરિકોને ગુલામ બનાવી રાખ્યા

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આ જીત હું વિસાવદરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે સ્વીકારું છું. હું આ ચૂંટણીની જીતના સર્ટિફિકેટને ખૂબ જ વિનમ્રતાથી સ્વીકારું છું.

ગુજરાતના યુવાનોને હું લાગણીભરી અપીલ કરું છું કે, હવે જાગવાની જરૂર છે. આપણે ગુજરાતમાં કયા સુધી ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનનો સામનો કરીશું? ભાજપે એક એક નાગરિકને ગુલામ બનાવી રાખ્યા હોય તેમ તાનાશાહી હદપાર કરી છે. તેમના કાર્યકરો પણ ગુંડા જેવું વર્તન કરી રહ્યા છે.

ગુજરાતના યુવાઓને કરી અપીલ

હું ગુજરાતના દરેક યુવાનને અપીલ કરું છું કે, આગળ આવો, આત્માને જગાડો અને તમારી અંદરની તાકાતને ઓળખો. આપણે પરિવર્તન માટે લડવું પડશે. ગુજરાતને ભાજપના શાસનમાંથી મુક્ત કરાવવું પડશે.

આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચુક્યા છે અને ભગવાને પણ વરસાદ રૂપે આશીર્વાદ આપ્યા છે. ભગવાન પણ ઈચ્છે છે કે, ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર અને તાનાશાહીનો અંત આવે.

ગોપાલ ઇટાલિયા જવાબદારી નિભાવવા તૈયાર

વિસાવદર એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતું સ્થળ છે. અહીંની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને મોટી જવાબદારી સોંપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મને આ જવાબદારી નિભાવવા માટે જરૂરી શક્તિ આપે.

આ ચૂંટણી દરમિયાન કેટલાંક અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરી હતી. જો કે, ઘણા નાના કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. હું તેમનો દિલથી આભાર માનું છું, કારણ કે તેમણે ન્યાય અને ભારતના સંવિધાનના રક્ષણનું નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">