AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિસાવદરની ચૂંટણી જીતતા જ ગોપાલ ઇટાલિયાનું યુવાનોને આહ્વાન, કહ્યુ- આત્માને જગાડો, આપણે પરિવર્તન માટે લડવુ પડશે, જુઓ Video

જુનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં જ રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાએ જનતાનો આભાર માનતા એક તીવ્ર સંદેશ આપ્યો હતો.

વિસાવદરની ચૂંટણી જીતતા જ ગોપાલ ઇટાલિયાનું યુવાનોને આહ્વાન, કહ્યુ- આત્માને જગાડો, આપણે પરિવર્તન માટે લડવુ પડશે, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2025 | 4:57 PM
Share

જુનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં જ રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાએ જનતાનો આભાર માનતા એક તીવ્ર સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતના યુવાનોને સંબોધન કરીને ગુલામીમાંથી મુક્ત થવાની અપીલ કરી હતી અને ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તેમજ તાનાશાહી સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભાજપે નાગરિકોને ગુલામ બનાવી રાખ્યા

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આ જીત હું વિસાવદરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે સ્વીકારું છું. હું આ ચૂંટણીની જીતના સર્ટિફિકેટને ખૂબ જ વિનમ્રતાથી સ્વીકારું છું.

ગુજરાતના યુવાનોને હું લાગણીભરી અપીલ કરું છું કે, હવે જાગવાની જરૂર છે. આપણે ગુજરાતમાં કયા સુધી ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનનો સામનો કરીશું? ભાજપે એક એક નાગરિકને ગુલામ બનાવી રાખ્યા હોય તેમ તાનાશાહી હદપાર કરી છે. તેમના કાર્યકરો પણ ગુંડા જેવું વર્તન કરી રહ્યા છે.

ગુજરાતના યુવાઓને કરી અપીલ

હું ગુજરાતના દરેક યુવાનને અપીલ કરું છું કે, આગળ આવો, આત્માને જગાડો અને તમારી અંદરની તાકાતને ઓળખો. આપણે પરિવર્તન માટે લડવું પડશે. ગુજરાતને ભાજપના શાસનમાંથી મુક્ત કરાવવું પડશે.

આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચુક્યા છે અને ભગવાને પણ વરસાદ રૂપે આશીર્વાદ આપ્યા છે. ભગવાન પણ ઈચ્છે છે કે, ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર અને તાનાશાહીનો અંત આવે.

ગોપાલ ઇટાલિયા જવાબદારી નિભાવવા તૈયાર

વિસાવદર એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતું સ્થળ છે. અહીંની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને મોટી જવાબદારી સોંપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મને આ જવાબદારી નિભાવવા માટે જરૂરી શક્તિ આપે.

આ ચૂંટણી દરમિયાન કેટલાંક અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરી હતી. જો કે, ઘણા નાના કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. હું તેમનો દિલથી આભાર માનું છું, કારણ કે તેમણે ન્યાય અને ભારતના સંવિધાનના રક્ષણનું નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">