Gir somnath: નરસિંહ મંદિર ટ્રસ્ટની જમીનનો વિવાદ, જમીન પચાવી પાડનારા શખ્સની કરાઈ ધરપકડ

ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી નરસિંહ મંદિર ટ્રસ્ટની જમીન ભાડા પેટે લઈ તેને પચાવી પાડનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નરસિંહ મંદિર ટ્રસ્ટની 15 વિઘા જમીન 1993માં વરજાંગ સોલંકી નામના શખ્સને વર્ષે 4 હજાર રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી હતી પરંતુ આ શખ્સે સમય જતા ભાડુ આપવાનું બંધ કરીને જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 6:43 PM

Gir Somnath: ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી નરસિંહ મંદિર ટ્રસ્ટની (Narasimha Temple Trust) જમીન ભાડા પેટે લઈ તેને પચાવી પાડનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નરસિંહ મંદિર ટ્રસ્ટની 15 વિઘા જમીન 1993માં વરજાંગ સોલંકી નામના શખ્સને વર્ષે 4 હજાર રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી હતી પરંતુ આ શખ્સે સમય જતા ભાડુ આપવાનું બંધ કરીને જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. ટ્રસ્ટના મહંત ઘનશ્યામ દાસે જ્યારે આ શખ્સને જમીન ખાલી કરવાનું કહ્યું ત્યારે તેણે મહંતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રસ્ટના મહંત ઘનશ્યામ દાસે આ અંગે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જામનગર પોલીસે જમીન પચાવી પાડનારા શખ્સ સામે કાર્યવાહી કરી છે. જામનગર પોલીસે વરજાંગ સોલંકી નામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

સરકારી ગૌચર જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

ગીર સોમનાથમાં સરકારી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુત્રાપાડાના આણંદપુર ગામે એ.એસ.પી ઓમપ્રકાશ જાટે દરોડા પાડી લાઇમ સ્ટોનની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તો રાજુલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં લાઇમ સ્ટોન સપ્લાયનો આરોપ લાગ્યો છે. ખનીજ ચોરી અંગે માહિતી આપી એસીપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે, ટ્રક ડ્રાઈવરની પૂછપરછમાં ખુલાસો થયો કે, ઉંબરી ગામના નિલેશ છાત્રોડીયા તથા વિરોદરના રમેશ છાત્રોડીયા આ રેકેટ ચલાવે છે. આ બંને જામનગર જિલ્લાના જામજોધપુરના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અલગ અલગ વાહનો મારફતે ખનીજ વિવિધ કંપનીઓમાં મોકલતા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગેને જાણ કરી છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">