AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે ! , 20 થી 30 માર્ચની વચ્ચે સત્તાવાર જાહેરાત કરી શકે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલની શક્યતા સેવાઈ રહી છે. સુત્રોનું માનીએ તો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે ! , 20 થી 30 માર્ચની વચ્ચે સત્તાવાર જાહેરાત કરી શકે
Naresh patel ( File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:11 PM
Share

કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ખુલ્લા આમંત્રણ વચ્ચે નરેશ પટેલ (Naresh Patel) રાજનીતિમાં ક્યારે જોડાશે તેવી ચર્ચા ગુજરાત (Gujarat) ના રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હોળી બાદ શુભ દિવસોમાં 20 થી 30 માર્ચની વચ્ચે રાજકારણમાં આવવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલની શક્યતા સેવાઈ રહી છે. સુત્રોનું માનીએ તો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. નરેશ પટેલે પણ કહ્યું હતું કે, તેઓ આગામી સમયમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય લેશે. જેને લઈને હવે ચર્ચા થઈ રહી છે કે, નરેશ પટેલની નજર પંજા પર નહીં પરંતુ પંજાબ પર છે. એટલે કે, નરેશ પટેલને આમ આદમી પાર્ટીમાંથી પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બનાવાઈ શકે છે. આમ, આમ આદમી પાર્ટી ગુજરાતના મોટા પાટીદાર નેતાને AAPમાં જોડી પાટીદાર મત અંકે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 21 માર્ચ પંજાબમાં રાજ્યસભામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. માર્ચના અંતમાં પંજાબમાં રાજ્યસભાની પાંચ સીટ પર ચૂંટણી યોજાવાની છે. પાંચમાંથી 4 સીટ પર AAPની જીત લગભગ નક્કી છે.

મહત્વનું છે કે, તાજેતરમાં જ નરેશ પટેલ દિલ્લી ગયા હતા. ચર્ચા છે કે દિલ્લીમાં તેઓએ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી છે. જો કે, મુલાકાતની વાત નરેશ પટેલ ફગાવી ચુક્યા છે. ગુજરાતના AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પણ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા આડકતરી રીતે સંકેત આપી ચુક્યા છે.

આ પહેલાં પણ નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ બની હતી. જો કે, તેઓ આમ આદમી પાર્ટીમાં નહીં પરંતુ કોંગ્રેસનો હાથ પકડશે તેવી ચર્ચા હતી. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે મુલાકાત કરી પાર્ટીમાં જોડાવા આહ્વાન પણ કર્યુ હતું. જો કે, નરેશ પટેલે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ત્યારે હવે હોળી બાદ શુભ દિવસોમાં 20 થી 30 માર્ચની વચ્ચે રાજકારણમાં આવવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો-

સૌરાષ્ટ્રમાં ખેડૂતોની વીજકાપની ઉઠેલી ફરિયાદો મામલે PGVCLનું નિવેદન, આજથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે

આ પણ વાંચે-

સુરતમાં તૈયાર થયો દેશનો પ્રથમ સ્ટીલ રોડ, જાણો શું છે તેની ખાસિયત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">